બંધ અને મોક્ષ એ વિચાર ભલે શુભવિકલ્પ છે પણ વિકલ્પ છે તે જ બંધનું કારણ છે.
અરે! પણ આમાં એક પણ જીવનો ઘાત તો નથી કર્યો છતાં બંધન?-હા, જીવનો ઘાત
બંધનું કારણ નથી, વિકલ્પ બંધનું કારણ છે. પર્યાયદ્રષ્ટિ-વ્યવહારનયનો આશ્રય કરવાથી
બંધ થાય છે.
સમ્યગ્દર્શનને પણ પરદ્રવ્ય કહ્યું છે. કેમ?-કે જેમ પરદ્રવ્યમાંથી પોતાની નિર્મળ પર્યાય
ઉત્પન્ન થતી નથી તેમ પોતાની નિર્મળ પર્યાયમાંથી પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન
થતી નથી તે અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચારેય પર્યાયને પરદ્રવ્ય કહી
છે. નવી પર્યાય ઉત્પન્ન થવાનું સ્થાન એક ધ્રુવસ્વભાવ છે તે સ્વદ્રવ્ય છે.
નિર્વિકલ્પ સમાધિ કહે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રમાં રાગ રહિત વીતરાગી શાંતિ છે
તે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ મોક્ષનો માર્ગ છે.
તો તારો નિર્વાણ થશે જ થશે. જેમ આગળ કહ્યું કે તું વિકલ્પથી નિઃભ્રાંતપણે બંધાઈશ
જ તેમ અહીં કહે છે કે સ્વરૂપમાં દ્રષ્ટિ-જ્ઞાન અને લીનતા કર! તું નિઃશંકપણે નિર્વાણ
પામીશ. જેમ ઠંડું હીમ વનને બાળી નાખે છે તેમ તારી અકષાય શાંતિ સંસારને બાળી
નાખશે, તારો નિર્વાણ થશે.
અકષાયભાવ પર્યાયમાં પ્રગટ થવો તે ઉપશમભાવ છે.
કરતાં એ ભાવો પ્રગટ થાય છે.
શ્રોતાઃ-પણ પ્રભુ! વિચાર એ તો જ્ઞાનની પર્યાય છે ને?
ભાઈ! એ છે જ્ઞાનની પર્યાય, પણ સાથે જે રાગ આવે છે, ભેદ પડે છે તે બંધનું