Hoon Parmatma (Gujarati). Edition Information.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 249

 

background image
પ્રથમ આવૃત્તિઃ ર૦૦૦
વીર સં. રપ૧૩ * વિ. સં. ર૦૪૩ * ઈ. સ. ૧૯૮૭
દ્વિતીય આવૃત્તિઃ ર૦૦૦
વીર સં. રપર૧ * વિ. સં. ર૦પ૧ * ઈ. સ. ૧૯૯પ
*
પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું
સમ્યક્ જ્ઞાન હોવું જોઈએ. ‘પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન
છે’ એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ
સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે ‘વ્યવહારના વિષયોનું પણ જ્ઞાન તો
ગ્રહણ કરવા યોગ્ય છે’ એવી વિવક્ષાથી જ શાસ્ત્રમાં વ્યવહારનયને
ઉપાદેય કહ્યો છે, ‘તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે’ એવી
વિવક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (આલંબન, વલણ,
સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે. જે જીવને અભિપ્રાયમાં
શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ
હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ
સમજવું, અન્યને નહિ.
- પ. હિંમતભાઈ જે. શાહ