સ્વરૂપ નથી. ત્રણ લોકનો નાથ બાદશાહ પોતે, પણ અરેરે! આવા વિકલ્પો હોય તો
કાંઈ લાભ થાય! શુભ વિકલ્પ હોય તો અંદર જવાય!-આવી તો ભ્રમણાઓ!! અરે!
જેનો આદર કરવો છે તેમાં એ વિકલ્પ તો છે નહિ અને જેને-વિકલ્પોને છોડવા છે
એના લઈને અંદર પ્રવેશ કેમ થઈ શકશે?! આત્મા તો આનંદરૂપ છે, એ આનંદસ્વરૂપ
આત્મા દુઃખસ્વરૂપ વિકલ્પોથી શી રીતે પ્રાપ્ત થાય? એ તો સ્વાનુભવથી જ જણાય તેવો
છે, રાગથી કે વિકલ્પથી જણાય એવો નથી.
પામર વિકલ્પોની કોઈ જરૂર નથી. ભીખારી પામર રાગની તને જરૂર નથી ભાઈ!
એના ટેકાની તને જરૂર નથી ભાઈ!
એનો પ્રેમ છોડતો નથી તેથી અંદરમાં જઈ શકતો નથી ને ધોયેલ મૂળાની જેવો રાગ ને
વ્યવહાર લઈને ૮૪ લાખ યોનિના અવતારમાં ચાલ્યો જાય છે. ર૪.
શુભભાવથી થશે ને વ્યવહારથી થશે એમ માનીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શન ન
કર્યું તેથી ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છેઃ-
पर सम्मत्तु ण लद्धु जिय एहउ जाणि णिभंतु ।। २५।।
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્તિ. રપ.
સમ્યગ્દર્શનના અભાવમાં ૮૪ લાખ યોનિમાંથી એકેય યોનિ ખાલી નથી રાખી. નરકની
અંદર દસ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, દસ હજાર ને એક સમયની
સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, એમ એક એક સમય અધિકની સ્થિતિએ અનંતવાર
ઉપજ્યો ને ૩૩ સાગર સુધીની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો. ૧૦ હજાર વર્ષથી માંડીને
૩૩ સાગર સુધીના જેટલા સમય છે તે એક એક સમયના અનંતા ભવ નરકમાં ગાળ્યા!