✾ વ્યન્તરાદિનું સ્વરુપ અને તેમને પૂજવાનો નિષેધા ✾
વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિનાશ, ધનાદિપ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ
ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા, વા સુખ પામવાના અનેક પ્રયોજનપૂર્વક એ
કુદેવાદિનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંઝી, ચોથ, શીતલા, દહાડી,
ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય, ચંદ્ર, શનીશ્ચરાદિ જ્યોતિષીઓને, પીર – પેગંબરાદિકોને, ગાય –
ઘોડાદિ તિર્યંચોને, અગ્નિ – જળાદિને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ! રોડાં ઇત્યાદિકને
પણ પૂજે છે.
એવા કુદેવોનું સેવન મિથ્યાદ્રષ્ટિથી જ થાય છે. કારણ કે પ્રથમ તો તે જેનું સેવન
કરે છે તેમાંથી કેટલાક તો કલ્પનામાત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી
થાય? વળી કોઈ વ્યંતરાદિક છે, પણ તે કોઈનું ભલું – બૂરું કરવા સમર્થ નથી, જો તેઓ સમર્થ
હોય, તો તેઓ જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક
આપી શકતા નથી. તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.
અહીં કોઈ કહે કે — તેઓ દુઃખ દેતા તો જોઈએ છીએ, તથા તેમને માનતાં દુઃખ
આપતા અટકી પણ જાય છે.
ઉત્તરઃ — આને પાપનો ઉદય હોય, ત્યારે તેમને એવી જ કુતૂહલબુદ્ધિ થાય, જે વડે
તેઓ ચેષ્ટા કરે છે; અને ચેષ્ટા કરતાં આ દુઃખી થાય છે. વળી કુતૂહલથી તે કંઈ કહે, અને
આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતાં પોતાની મેળે જ અટકી જાય છે, આને શિથિલ
જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. તથા જો આને પુણ્યનો ઉદય હોય, તો તેઓ કાંઈ પણ
કરી શકતા નથી.
એ અહીં દર્શાવીએ છીએ — કોઈ જીવ તેમને પૂજે નહિ, અથવા તેની નિંદા કરે, તો
તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહિ. અથવા એમ પણ કહેતા જોવામાં
આવે છે કે – ‘અમને ફલાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી, માટે વ્યંતરાદિક કાંઈ
પણ કરવા સમર્થ નથી, પણ આના પુણ્ય – પાપથી જ સુખ – દુઃખ થાય છે. એટલે તેમને
માનવા – પૂજવાથી તો ઊલટો રોગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી.
અહીં એમ જાણવું કે — જે કલ્પિત દેવ છે, તેમનો પણ કોઈ ઠેકાણે અતિશય – ચમત્કાર
થતો જોવામાં આવે છે, પણ તે વ્યંતરાદિવડે કરેલો હોય છે. કોઈ પૂર્વપર્યાયમાં આનો સેવક
હતો, અને તે પાછળથી મરીને વ્યંતરાદિ થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ,
ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, કોઈ ચમત્કાર દેખાડે છે. ભોળા લોક
કિંચિત્ ચમત્કાર દેખી તે કાર્યમાં લાગી જાય છે. જેમ – જિનપ્રતિમાદિકનો પણ અતિશય થતો
સાંભળીએ, જોઈએ છીએ, તે જિનકૃત નથી, પણ જૈની વ્યંતરાદિકૃત થાય છે, તેમ કુદેવોનો
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૬૯