અ. ૧. સૂત્ર ૩૨] [૭૯ સૂત્ર ૬-૧૦ માં જણાવ્યું અને તે પાંચ સમ્યગ્જ્ઞાનોનું સ્વરૂપ સૂત્ર ૧૧ થી ૩૦ સુધીમાં બતાવ્યું....
(૨) એટલી ભૂમિકા બાંધ્યા પછી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ મિથ્યાજ્ઞાન પણ હોય છે; અને જીવ અનાદિનો મિથ્યાદ્રષ્ટિ હોવાથી તે સમ્યક્ત્વ ન પામે ત્યાં સુધી તેનું જ્ઞાન વિપર્યય છે એમ સૂત્ર ૩૧ માં બતાવ્યું. સુખના સાચા અભિલાષીએ તે મિથ્યાદર્શન પહેલું જ ટાળવું જોઈએ-એમ બતાવવા આ સૂત્રમાં મિથ્યાજ્ઞાન-કે જે જ્ઞાન હંમેશાં મિથ્યાદર્શનપૂર્વક જ હોય છે-તેનું સ્વરૂપ બતાવ્યું છે.
(૩) સુખના સાચા અભિલાષીને મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું કે- ૧-મિથ્યાદ્રષ્ટિ જીવ સત્ અને અસત્ વચ્ચેનો ભેદ (વિવેક) જાણતો નથી; તેથી સિદ્ધ થયું કે દરેક ભવ્ય જીવે પ્રથમ સત્ શું અને અસત્ શું તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મિથ્યાજ્ઞાન ટાળવું જોઈએ.
૨-જ્યાં સત્ અને અસત્ ભેદનું અજ્ઞાન હોય ત્યાં અણસમજ પૂર્વક પોતાને ઠીક પડે તેમ ગાંડા પુરુષની માફક (મદિરા પીધેલા માણસની માફક) ખોટી કલ્પનાઓ જીવ કર્યા જ કરે છે; તેથી એમ સમજાવ્યું કે સુખના સાચા અભિલાષી જીવોએ સાચી સમજણ કરી ખોટી કલ્પનાઓનો નાશ કરવો જ જોઈએ.
(૪) પહેલેથી ત્રીસ સુધીના સૂત્રોમાં મોક્ષમાર્ગ અને સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ સમજાવી તે ગ્રહણ કરવાનું કહ્યું, તે ઉપદેશ ‘અસ્તિ’થી આપ્યો; અને ૩૧મા સૂત્રમાં મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ બતાવી તેનું કારણ ૩૨મા સૂત્રમાં કહી તે મિથ્યાજ્ઞાનનો નાશ કરવા ઉપદેશ આપ્યો; એટલે આ સૂત્રમાં ‘નાસ્તિ’થી સમજાવ્યું. આ રીતે ‘અસ્તિ-નાસ્તિ’ વડે એટલે કે અનેકાન્ત વડે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરી મિથ્યાજ્ઞાનની નાસ્તિ કરવા માટે ઉપદેશ આપ્યો.
અસત્ = અવિદ્યમાન-અણછતી (વસ્તુ),
અવિશેષાત્= એ બેનો યથાર્થ વિવેક ન હોવાથી.
યદ્રચ્છ (વિપર્યય) ઉપલબ્ધેઃ =