Moksha Shastra (Gujarati). Sutra: 2-3 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 314 of 655
PDF/HTML Page 369 of 710

 

અ. પ સૂત્ર ૪-પ ] [ ૩૧૩ સૂત્ર ટાળે છે. આકાશનું સ્વરૂપ સૂત્ર ૪-૬-૭-૯-૧૮ માં આપ્યું છે, ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ સૂત્ર ૪-૬-૭-૮-૧૨ અને ૧૭ માં આપ્યું છે. દિશા તે આકાશનો ભાગ છે.

(૪) પ્રશ્નઃ– ‘કાર્ય’નો અર્થ તો શરીર થાય છે છતાં અહીં ધર્માદિ દ્રવ્યને કાય કેમ કહ્યાં?

ઉત્તરઃ– અહીં ઉપચારથી તેમને કાય કહ્યાં છે. જેમ શરીર પુદ્ગલદ્રવ્યના સમૂહરૂપ છે તેમ ધર્માદિ દ્રવ્યોને પણ પ્રદેશોના સમૂહરૂપ કાય સરીખો વ્યવહાર છે. અહીં કાયનો અર્થ બહુપ્રદેશ કરવો.

(પ) પ્રશ્નઃ– પુદ્ગલદ્રવ્ય તો એકપ્રદેશી છે તેને ‘કાય’ શબ્દ કેમ લાગુ પડે છે? ઉત્તરઃ– તેમાં બીજાં પુદ્ગલો સાથે ભળવાની અને તેથી બહુપ્રદેશી થવાની શક્તિ છે તે અપેક્ષાએ તેને ‘કાય’ કહેવામાં આવે છે.

(૬) ધર્મ અને અધર્મ એ બે દ્રવ્યો સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોમાં છે. એ નામ શાસ્ત્રરૂઢિથી આપવામાં આવ્યાં છે. ।। ।।

એ અજીવકાય શું છે?
द्रव्याणि।। २।।

અર્થઃ– એ ચાર પદાર્થ [द्रव्याणि] દ્રવ્ય છે. (દ્રવ્યનું લક્ષણ સૂત્રો ૨૯-૩૦-૩૮ માં આવશે.)

ટીકા

(૧) ત્રિકાળ પોતાના ગુણ-પર્યાયને દ્રવે-પ્રાપ્ત થાય છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે.

(૨) પોતાના ગુણ-પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત થાય છે એટલે કે પરના ગુણ- પર્યાયને કોઈ પ્રાપ્ત ન થાય એમ (અસ્તિ-નાસ્તિરૂપ) અનેકાંતદ્રષ્ટિએ અર્થ થાય છે. પુદ્ગલ પોતાના પર્યાયરૂપ શરીરને પ્રાપ્ત થાય પણ જીવ કે બીજું કોઈ દ્રવ્ય શરીરને પ્રાપ્ત ન થાય. જો જીવ શરીરને પ્રાપ્ત થાય તો શરીર જીવનો પર્યાય થઈ જાય; તેથી એ સિદ્ધ થયું કે જીવ અને શરીર અત્યંત ભિન્ન પદાર્થ છે અને તેથી જીવ શરીરને પ્રાપ્ત થતો નહિ હોવાથી શરીરનું કાંઈ પણ ત્રણે કાળમાં કરી શકે નહિ. ।। ।।

દ્રવ્યમાં જીવની ગણના
जीवाश्च।। ३।।

અર્થઃ– [जीवाः] જીવો [च] પણ દ્રવ્ય છે.