[૩૮]
હતી કે એકલો નિશ્ચય પણ ઉપાદેય નથી અને એકલો વ્યવહાર પણ ઉપાદેય નથી; પરંતુ બન્નેય ઉપાદેય છે. “પરંતુ પંડિતજીએ એને મિથ્યાદ્રષ્ટિઓની પ્રવૃત્તિ કહી છે.”
આગળ પૃ. ૩૦ માં પણ લખ્યું છે કે ‘જે એમ માને છે કે શ્રદ્ધાન તો નિશ્ચયનું કરવું જોઈએ અને પ્રવૃત્તિ વ્યવહારની રાખવી જોઈએ’ તેને પણ મિથ્યાદ્રષ્ટિ જ કહ્યા છે.
આ આવૃત્તિ આત્માર્થી વિદ્વાનભાઈ શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠની દેખરેખ નીચે તૈયાર થઈ છે તથા બ્ર. ગુલાબચંદભાઈએ તેને લગતું તમામ કાર્ય કર્યું છે તે માટે બન્નેનો આભાર માનું છું.
વીર સં. ર૪૮૯. વિ. સં. ર૦૧૯
શ્રાવણ સુદી ૮- રામજી માણેકચંદ દોશી