Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 388 of 655
PDF/HTML Page 443 of 710

 

અ. પ ઉપસંહાર ] [ ૩૮૭ ભાવનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરતો નથી તેવી જ રીતે સમસ્ત પરદ્રવ્યનું પ્રત્યાખ્યાન ન કરતો આત્મા તેના નિમિત્તથી થવાવાળા ભાવને ત્યાગતો નથી.” આમાં જીવનો બંધસાધકભાવ નૈમિત્તિક છે અને તે પરદ્રવ્ય નિમિત્ત છે.

(સમયસાર ગાથા ર૮૬-૮૭ ની ટીકા)
નિમિત્ત કર્તાનું વજન કેટલું?

ગ્રંથાધિરાજ પંચાધ્યાયી શાસ્ત્રમાં નયાભાસોનું વર્ણન છે તેમાં ‘જીવ શરીરનું કાંઈ પણ કરી શકતો નથી-પરસ્પર બંધ્ય-બંધકભાવ નથી’ એમ કહીને શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિકભાવનું પ્રયોજન શું છે? તેના ઉત્તરમાં પ્રત્યેક દ્રવ્ય સ્વયં અને સ્વતઃ નિજશક્તિથી પરિણમન કરે છે ત્યાં નિમિત્તપણાનું કાંઈ પ્રયોજન જ નથી એવું સમાધાન શ્લોક નં. પ૭૧ માં કહ્યું છે.

अथचेदवश्यमेतन्निमित्त नैमित्तिकत्वमास्तिमिथः। न यतः स्वयं स्वतो वा परिणममानस्य किं निमित्ततया।। ५७१।।

અન્વયાર્થઃ– [अर्थचेत्] જો કદાપિ એમ કહેવામાં આવે કે ‘[मिथः] પરસ્પર

[एतन्निमित्तनैमित्तिकत्वं] એ બન્નેમાં નિમિત્તનૈમિત્તિકપણું [अवश्यंअस्ति] અવશ્ય છે’ તો આ પ્રકારનું કથન પણ [ना] બરાબર નથી; [यतः] કારણ કે [स्वयं वा स्वतः] સ્વયં અથવા સ્વતઃ [परिणममानस्य] પરિણમનારી વસ્તુને [निमित्ततया] નિમિત્તપણાથી [किम्?] શું ફાયદો છે? અર્થાત્ સ્વતઃ પરિણમનશીલ વસ્તુને નિમિત્તકારણથી કાંઈ જ પ્રયોજન નથી. આ વિષયમાં સ્પષ્ટતા માટે પંચાધ્યાયી ભા. ૧ શ્લોક પ૬પ થી પ૮પ સુધી દેખવું જોઈએ.

પ્રયોજનભૂત

આ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને ‘પર્યાય’ (હાલત, અવસ્થા, Condition) કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઈ શકે છે.

જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પદ્ગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી, તેથી તેને સુખદુખ નથી; તેનામાં સુખગુણ જ નથી.