અ. ૯ સૂત્ર ૯ ] [ પપ૩
જ્ઞાનની હીનતાનો ખેદ ન કરવો તે અજ્ઞાનપરિષહજય છે.
વગેરે ધારણ કરવાં વ્યર્થ છે-એવો અશ્રદ્ધાનો ભાવ ન થવા દેવો તે
અદર્શન પરિષહજય છે.
પરદ્રવ્ય અર્થાત્ જડ કર્મનો ઉદય કે શરીરાદિ નોકર્મનો સંયોગ-વિયોગ જીવને કાંઇ વિક્રિયા (વિકાર) કરી શકતા નથી, એ સિદ્ધાંત આ સૂત્રમાં પ્રતિપાદન કર્યો છે. તે કઈ રીતે પ્રતિપાદન થાય છે તે કહેવામાં આવે છે-
(૧) ક્ષુધા અને તૃષા એ નોકર્મરૂપ શરીરની અવસ્થા છે; તે અવસ્થા ગમે તેવી થાય તોપણ જીવને કાંઈ કરી શકે નહિ. જીવ જો શરીરની તે અવસ્થાને જ્ઞેય તરીકે જાણે-તેમાં રાગાદિ ન કરે તો તેને શુદ્ધતા પ્રગટે છે અને જો તે વખતે રાગ- દ્વેષ કરે તો અશુદ્ધતા પ્રગટે છે. જો જીવ શુદ્ધ અવસ્થા પ્રગટ કરે તો પરિષહજય કહેવાય તથા સંવર નિર્જરા થાય અને જો તે અશુદ્ધ અવસ્થા પ્રગટ કરે તો બંધ થાય. શુદ્ધ અવસ્થા સમ્યગ્દ્રષ્ટિ જીવો જ પ્રગટ કરી શકે, મિથ્યાદ્રષ્ટિને શુદ્ધ અવસ્થા હોય નહિ, તેથી તેને પરિષહજય પણ હોય નહિ.
(ર) સમ્યગ્દ્રષ્ટિઓને નીચલી અવસ્થામાં ચારિત્ર મિશ્રભાવે હોય છે અર્થાત્ અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા હોય છે. જેટલે અંશે શુદ્ધતા થાય છે તેટલે અંશે સંવર-નિર્જરા છે અને તે ખરું ચારિત્ર છે. અને જેટલે અંશે અશુદ્ધતા છે તેટલે અંશે બંધ છે. અસાતાવેદનીયનો ઉદય જીવને કાંઇ વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. કર્મનો ઉદય કે નોકર્મનો પ્રતિકૂળ સંયોગ જીવને વિક્રિયા કરાવતા નથી.
(૩) શીત અને ઉષ્ણ એ બન્ને શરીર સાથે સંબંધ રાખનાર બાહ્ય જડ દ્રવ્યોની અવસ્થા છે અને દંશમશક તે શરીરની સાથે સંબંધ રાખનાર જીવ-પુદ્ગલના પિંડરૂપ તિર્યંચાદિ જીવોના નિમિત્તે થતી શરીરની અવસ્થા છે; તે સંયોગ કે શરીરની અવસ્થા જીવને દોષનું કારણ નથી પણ શરીર પ્રત્યે પોતાનો મમત્વ ભાવ તે જ દોષનું કારણ