૧૪૪ સમયસાર નાટક
જેમ સંસારમાં ભટકે છે-કયાંય ઠેકાણું પામતા નથી. જેમના હૃદયમાં સમ્યગ્જ્ઞાન છે,
તેમને જ મોક્ષ છે; જે જ્ઞાનશૂન્ય ક્રિયા કરે છે તેઓ ભ્રમમાં ભૂલેલા છે. ૨૧.
વ્યવહારલીનતાનું પરિણામ. (દોહરા)
लीन भयौ विवहारमैं, उकति न उपजै कोइ।
दीन भयौ प्रभुपद जपै, मुकति कहासौं कोइ?।। २२।।
શબ્દાર્થઃ– ઉકતિ=ભેદજ્ઞાન. કહાસૌ=કેવી રીતે.
અર્થઃ– જે ક્રિયામાં લીન છે, ભેદવિજ્ઞાન રહિત છે અને દીન થઈને
ભગવાનનાં ચરણોનો જાપ કરે છે અને એનાથી જ મોક્ષની ઈચ્છા રાખે છે તે
આત્માનુભવ વિના મોક્ષ કેવી રીતે મેળવી શકે? ૨૨.
વળી–(દોહરા)
प्रभु सुमरौ पूजौ पढ़ौ करौ विविध विवहार।
मोख सरूपी आतमा, ग्यानगम्य निरधार।। २३।।
શબ્દાર્થઃ– સુમરૌ=સ્મરણ કરો. વિવિધ વિવહાર=જુદા જુદા પ્રકારનું ચારિત્ર.
અર્થઃ– ભગવાનનું સ્મરણ કરવાથી, પૂજા-સ્તુતિ કરવાથી અથવા અનેક
પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરવાથી કાંઈ થઈ શકતું નથી, કેમ કે મોક્ષ-સ્વરૂપ આત્મા
અનુભવ-જ્ઞાનગોચર છે. ૨૩.
જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. (સવૈયા એકત્રીસા)
काज विना न करै जिय उद्यम,
लाज विना रन मांहि न जूझै।
डील विना न सधै परमारथ,
सील विनासतसौं न अरूझै।।
नेम विना न लहै निहचै पद,
प्रेम विना रस रीति न बूझै।