Natak Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 333 of 444
PDF/HTML Page 360 of 471

 

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૩૩
કહ્યું છેઃ-
णाणाधम्मजुदं पि य एंव धम्मं पि वच्चदे अत्थं।
तस्सेयविक्खादो णत्थि
विवक्खाहु सेसाणं।। २६४।।
અર્થઃ– તેથી જે ધર્મનું જે અપેક્ષાએ કથન કરવામાં આવ્યું હોય તે ધર્મ, જે
શબ્દથી કથન કરવામાં આવ્યું હોય તે શબ્દ, અને તેને જાણનાર જ્ઞાન-એ ત્રણે નય
છે. કહ્યું પણ છે કેઃ-
सो चिय इक्को धम्मो वाचयसद्दो वि तस्स धमस्स।
तं जाणदि तं णाणं ते तिण्णि विणय विसेसा य।।
અર્થઃ– આપણી નિત્યની વાતચીત પણ નય-ગર્ભિત હોય છે, જેમકે જ્યારે
કોઈ મરણ-સન્મુખ હોય છે ત્યારે તેને હિંમત આપવામાં આવે છે કે જીવ નિત્ય છે,
જીવ તો મરતો નથી, શરીરરૂપ વસ્ત્રનો તેની સાથે સંબંધ છે, તેથી વસ્ત્ર સમાન
શરીર બદલવું પડે છે. ન તો જીવ જન્મે છે, ન મરે છે અને ન ધન, સંતાન, કુટુંબ
આદિ સાથે તેમનો સંબંધ છે. આ જે કાંઈ કહેવામાં આવ્યું છે તે જીવ પદાર્થના
નિત્યધર્મ તરફ દ્રષ્ટિ રાખીને કહેવામાં આવ્યું છે. પછી જ્યારે તે મરી જાય છે અને
એના સંબંધીઓને સંબોધન કરે છે ત્યારે કહે છે કે સંસાર અનિત્ય છે, જે જન્મે છે
તે મરે જ છે, પર્યાયોનું પલટવું એ જીવનો સ્વભાવ જ છે, આ કથન પદાર્થના
અનિત્ય ધર્મ તરફ દ્રષ્ટિ રાખીને કહ્યું છે. કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયમાં આ વિષયને
ખૂબ સ્પષ્ટ કરેલ છે. સ્વામીજીએ કહ્યું છે કે જીવના ચેતના, ઉપયોગ આદિ ગુણ છે,
નર, નારક આદિ પર્યાયો છે, જ્યારે કોઈ જીવ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં જાય
છે ત્યારે મનુષ્ય પર્યાયનો અભાવ (વ્યય) અને દેવ પર્યાયનો સદ્ભાવ (ઉત્પાદ)
થાય છે, પરંતુ જીવ ન ઊપજ્યો છે કે ન મર્યો છે, આ તેનો ધ્રુવધર્મ છે. બસ! આનું
જ નામ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.
सो चेव जादि मरणं जादि ण णठ्ठो ण चेव उप्पण्णो।
उप्पण्णो य विणठ्ठो
देवो मणुसुत्ति पज्जाओ।। १८।।
(પંચાસ્તિકાય પૃ. ૩૮)