तस्सेयविक्खादो णत्थि
છે. કહ્યું પણ છે કેઃ-
तं जाणदि तं णाणं ते तिण्णि विणय विसेसा य।।
જીવ તો મરતો નથી, શરીરરૂપ વસ્ત્રનો તેની સાથે સંબંધ છે, તેથી વસ્ત્ર સમાન
શરીર બદલવું પડે છે. ન તો જીવ જન્મે છે, ન મરે છે અને ન ધન, સંતાન, કુટુંબ
આદિ સાથે તેમનો સંબંધ છે. આ જે કાંઈ કહેવામાં આવ્યું છે તે જીવ પદાર્થના
નિત્યધર્મ તરફ દ્રષ્ટિ રાખીને કહેવામાં આવ્યું છે. પછી જ્યારે તે મરી જાય છે અને
એના સંબંધીઓને સંબોધન કરે છે ત્યારે કહે છે કે સંસાર અનિત્ય છે, જે જન્મે છે
તે મરે જ છે, પર્યાયોનું પલટવું એ જીવનો સ્વભાવ જ છે, આ કથન પદાર્થના
અનિત્ય ધર્મ તરફ દ્રષ્ટિ રાખીને કહ્યું છે. કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયમાં આ વિષયને
ખૂબ સ્પષ્ટ કરેલ છે. સ્વામીજીએ કહ્યું છે કે જીવના ચેતના, ઉપયોગ આદિ ગુણ છે,
નર, નારક આદિ પર્યાયો છે, જ્યારે કોઈ જીવ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં જાય
છે ત્યારે મનુષ્ય પર્યાયનો અભાવ (વ્યય) અને દેવ પર્યાયનો સદ્ભાવ (ઉત્પાદ)
થાય છે, પરંતુ જીવ ન ઊપજ્યો છે કે ન મર્યો છે, આ તેનો ધ્રુવધર્મ છે. બસ! આનું
જ નામ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.
उप्पण्णो य विणठ्ठो