निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत् ।
पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स खलु परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरतं
હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [व्रतसमितिशीलसंयमपरिणामः] વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા [करणनिग्रहः भावः] ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ [सः] તે [प्रायश्चित्तम्] પ્રાયશ્ચિત્ત [भवति] છે [च एव] અને તે [अनवरतं] નિરંતર [कर्तव्यः] કર્તવ્ય છે.
ટીકાઃ — આ, નિશ્ચય-પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે.
પાંચ મહાવ્રતરૂપ, પાંચ સમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇન્દ્રિયોના ને મનવચનકાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇન્દ્રિયોનો નિરોધ — એ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત એટલે પ્રાયઃ ચિત્ત — પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. અંતર્મુખાકાર પરમ-સમાધિથી યુક્ત,