Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 350 of 380
PDF/HTML Page 379 of 409

 

૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अत्रापि निरुपाधिस्वरूपलक्षणपरमात्मतत्त्वमुक्त म्

अखिलदुरघवीरवैरिवरूथिनीसंभ्रमागोचरसहजज्ञानदुर्गनिलयत्वादव्याबाधम्, सर्वात्म- प्रदेशभरितचिदानन्दमयत्वादतीन्द्रियम्, त्रिषु तत्त्वेषु विशिष्टत्वादनौपम्यम्, संसृति- पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाभावात्पुण्यपापनिर्मुक्त म्, पुनरागमनहेतुभूतप्रशस्ताप्रशस्तमोह- रागद्वेषाभावात्पुनरागमनविरहितम्, नित्यमरणतद्भवमरणकारणकलेवरसंबन्धाभावान्नित्यम्, निजगुणपर्यायप्रच्यवनाभावादचलम्, परद्रव्यावलम्बनाभावादनालम्बमिति

तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः રહિત, [नित्यम्] નિત્ય, [अचलम्] અચળ અને [अनालंबम्] નિરાલંબ છે.

ટીકાઅહીં પણ, નિરુપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ કહ્યું છે.

(પરમાત્મતત્ત્વ આવું છેઃ) સમસ્ત દુષ્ટ અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર એવા સહજજ્ઞાનરૂપી કિલ્લામાં રહેઠાણ હોવાને લીધે અવ્યાબાધ (નિર્વિઘ્ન) છે; સર્વ આત્મપ્રદેશે ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતીંદ્રિય છે; ત્રણ તત્ત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે (બહિરાત્મતત્ત્વ, અંતરાત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વ એ ત્રણેમાં વિશિષ્ટખાસ પ્રકારનુંઉત્તમ હોવાને લીધે) અનુપમ છે; સંસારરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતાં સુખદુઃખનો અભાવ હોવાને લીધે પુણ્યપાપ વિનાનું છે; પુનરાગમન રહિત છે; નિત્ય મરણના અને તે ભવ સંબંધી મરણના કારણભૂત કલેવરના (શરીરના) સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે; નિજ ગુણો અને પર્યાયોથી ચ્યુત નહિ થતું હોવાને લીધે અચળ છે; પરદ્રવ્યના અવલંબનનો અભાવ હોવાને લીધે નિરાલંબ છે.

એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

૩૫

પુનરાગમનના હેતુભૂત પ્રશસ્ત-અપ્રશસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાને લીધે

૧. અધ્યાત્મશાસ્ત્રોમાં ઘણાં સ્થળે પાપ તેમ જ પુણ્ય બન્નેને ‘અઘ’ અથવા ‘પાપ’ કહેવામાં આવે છે.
૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે.
૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષેકોનો ક્ષય