બહેનને છાતીએ લગાવી. માતા વિદેહા સીતાને હૃદય સાથે ચાંપીને બોલી, હે પુત્રી!
સાસુ-સુસરાની ખૂબ સેવા કરજે અને એવી રીતે કરજે કે આખા કુટુંબમાં તારી પ્રશંસા
થાય. ભામંડળે સૌને બોલાવ્યા, જનકના નાના ભાઈ કનકને મિથિલાપુરીનું રાજ્ય સોંપી
જનક અને વિદેહાને પોતાના સ્થાનકે લઈ ગયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે
હે મગધ દેશના અધિપતિ! તું ધર્મનું માહાત્મ્ય જો. જે ધર્મના પ્રસાદથી શ્રી રામદેવને
સીતા સરખી સ્ત્રી મળી, જે રૂપે-ગુણે પૂર્ણ હતી, જેને વિધાધરોનો ઇન્દ્ર ભામંડળ જેવો
ભાઈ હતી. વળી રામને લક્ષ્મણ જેવો ભાઈ, સેવક અને દેવાધિષ્ઠિત ધનુષ પણ રામે
ચડાવ્યું. આ શ્રી રામનું ચરિત્ર-ભામંડળના મિલનનું વર્ણન જે નિર્મળ ચિત્તથી સાંભળે
તેને મનવાંછિત ફળની સિદ્ધિ થાય અને શરીર નિરોગી થાય તેમ જ સૂર્ય સમાન પ્રભાવ
પ્રાપ્ત કરે.
ત્રીસમું પર્વ પૂર્ણ થયું.
વૃત્તાંત હું સાંભળવા ચાહું છું તો મને કૃપા કરીને કહો. આપનો યશ ત્રણ લોકમાં ફેલાઈ
રહ્યો છે. ત્યારે મુનિઓના સ્વામી, મહાતપ તેજના ધારક ગૌતમ ગણધરે કહ્યું કે જેવું
કથન શ્રી સર્વજ્ઞ વીતરાગદેવે કયુુર્ં છે તે તું સાંભળ. જ્યારે રાજા દશરથ મુનિઓનાં
દર્શનાર્થે ગયા ત્યારે તેમણે સર્વભૂતહિત સ્વામીને નમસ્કાર કરીને પૂછયું કે હે સ્વામી! મેં
સંસારમાં અનંત જન્મ ધારણ કર્યા તેમાંથી કેટલાક ભવની વાત આપના પ્રસાદથી
સાંભળીને સંસાર છોડવા ઈચ્છું છું. મુનિ દશરથને ભવ સાંભળવાનો અભિલાષી જાણીને
કહેવા લાગ્યા કે હે રાજન્! સંસારનાં બધાં જીવ અનાદિકાળથી, કર્મોના સંબંધથી અનંત
જન્મ-મરણ કરતાં દુઃખ જ ભોગવતાં આવ્યાં છે. આ જગતમાં જીવોના કર્મની સ્થિતિ
ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ પ્રકારની છે અને મોક્ષ સર્વમાં ઉત્તમ છે, જેને પંચમગતિ કહે
છે તે અનંત જીવોમાંથી કોઈ એકને થાય છે, બધાને નહિ. આ પંચમગતિ કલ્યાણ કરનાર
છે. ત્યાંથી ફરીથી આવાગમન થતું નથી. તે અનંત સુખનું સ્થાનક શુદ્ધ સિદ્ધપદ
ઈન્દ્રિયવિષયરૂપ રોગોથી પીડિત મોહથી અંધ પ્રાણી પામી શકતો નથી. જે
તત્ત્વાર્થશ્રદ્ધાનથી રહિત, વૈરાગ્યથી બહિર્મુખ છે અને હિંસાદિકમાં જેમની પ્રવૃત્તિ છે તેમને
નિરંતર ચાર ગતિનું ભ્રમણ