Padmapuran (Gujarati). Parva 83 - Ram-Laxmanni rajyavibhutinu varnan.

< Previous Page   Next Page >


Page 505 of 660
PDF/HTML Page 526 of 681

 

background image
પદ્મપુરાણ ત્યાંસીમું પર્વ પ૦પ
રહે માટે અવ્રત છોડીને નિયમાદિક ધારણ કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના આગમનનું વર્ણન
કરનાર બ્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્યાંસીમું પર્વ
(રામ–લક્ષ્મણની રાજ્યવિભૂતિનું વર્ણન)
ત્યાર પછી રાજા શ્રેણિકે નમસ્કાર કરી ગૌતમ સ્વામીને પૂછયું કે હે દેવ! શ્રી
રામલક્ષ્મણની લક્ષ્મીનો વિસ્તાર સાંભળવાની મારી અભિલાષા છે. ગૌતમ સ્વામી બોલ્યા,
હે શ્રેણિક! રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નના વૈભવનું હું સંક્ષેપમાં વર્ણન કરું છું. રામ-
લક્ષ્મણ પાસે બેતાલીસ લાખ હાથી, એટલા જ રથ, નવ કરોડ અશ્વ, બેંતાલીસ કરોડ
પાયદળ, ત્રણ ખંડના દેવ વિદ્યાધર સેવકો હતા. રામનાં ચાર રત્નો હતા-હળ, મૂશળ,
રત્નમાળા અને ગદા. લક્ષ્મણનાં સાત રત્નો-શંખ, ચક્ર, ગદા, ખડ્ગ, દંડ, નાગશય્યા, અને
કૌસ્તુભમણિ. રામ-લક્ષ્મણ બન્નેય વીર, ધીર, ધનુષધારી હતા. તેમના ઘેર લક્ષ્મીનો
નિવાસ હતો. ઇન્દ્રના ભવનતુલ્ય ઊંચા દરવાજાવાળો ચતુઃશાલ નામનો કોટ, વૈજયંતી
નામની સભા અતિ મનોજ્ઞ, પ્રસાદકૂટ નામનું અતિ ઊંચું દશેય દિશાઓનું અવલોકનગૃહ,
વિંધ્યાચળ પર્વત જેવું વર્ધમાનક નામનું નૃત્ય જોવાનું ગૃહ, અનેક સામગ્રી સહિત કાર્ય
કરવાનું ગૃહ, કૂકડાના ઈંડાં સમાન અદ્ભૂત શીતકાળમાં સૂવાનું ગૃહ, ગ્રીષ્મમાં બપોરે
રહેવા માટેનું ધારામંડપગૃહ, તે ઉપરાંત રાણીઓનાં રત્નમયી અત્યંત સુંદર ગૃહો, બન્ને
ભાઈઓના સૂવાની શય્યાના પાયા સિંહના આકારના પદ્મરાગ મણિના બનેલા હતા જે
અંભોદકાંડ નામની વીજળી જેવા ચમત્કારવાળા હતા. વર્ષાઋતુમાં રહેવાનો મહેલ અતિ
શ્રેષ્ઠ, ઉગતા સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા તુલ્ય ઉજ્જવળ ચામર અને છત્ર, સુંદર
વિષમોચક નામની પાવડી જેના પ્રભાવથી સુખેથી આકાશમાં ગમન કરાય, અમૂલ્ય વસ્ત્રો,
દિવ્ય આભૂષણો, અભેદ્ય બખ્તર, મનોહર મણિઓનાં કુંડળ, અમોઘ ગદા, ખડ્ગ,
કનકબાણ, અનેક શસ્ત્રો, પચાસ લાખ હળ, કરોડથી અધિક ગાય, અક્ષય ભંડાર અને
અયોધ્યા આદિ અનેક નગર, જ્યાં ન્યાયની પ્રવૃત્તિ ચાલતી. પ્રજા બધી સુખી-સંપદાથી
પૂર્ણ હતી, વનઉપવન નાના પ્રકારનાં ફળફૂલોથી શોભતાં, સુવર્ણ રત્નમય પગથિયાવાળી
ક્રીડા કરવા માટે યોગ્ય વાવો, પુર તથા ગ્રામોમાં લોકો અત્યંત સુખી હતા, ખેડૂતોને કોઈ
જાતનું દુઃખ નહોતું, ગોવાળો પાસે અનેક ગાયો-ભેંસો હતી, લોકપાળ જેવા સામંતો અને
ઇન્દ્ર જેવા વૈભવવાળા અનેક તેજસ્વી રાજાઓ તેમના સેવક હતા. રામને આઠ હજાર
સ્ત્રીઓ હતી અને લક્ષ્મણને દેવાંગના જેવી સોળ હજાર સ્ત્રીઓ હતી. સૌને મનવાંછિત
સુખ આપનાર સમસ્ત સામગ્રી અને ઉપકરણો હતાં. શ્રી રામે ભગવાનનાં હજારો