Padmapuran (Gujarati). Parva 5 - Havey vanshotpati naamno mahaadhikaar.

< Previous Page   Next Page >


Page 37 of 660
PDF/HTML Page 58 of 681

 

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૩૭
બોલાવ્યા અને તેમને વ્રતી જાણીને તેમનો ખૂબ આદર કર્યો, તેમના ગળામાં યજ્ઞોપવિત
(જનોઇ) પહેરાવી, તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. વસ્ત્રાભરણ આપ્યા અને
મનવાંછિત દાન આપ્યું. જેઓ અંકુરાને કચરીને આવ્યા હતા તેમને અવ્રતી જાણીને તેમનો
આદર ન કર્યો. તેમણે વ્રતીઓને બ્રાહ્મણ ઠરાવ્યા. ચક્રવર્તીના માનથી આમાંના કેટલાક
ગર્વ પામ્યા અને કેટલાક લોભની અધિકતાથી ધનવાન લોકોને જોઈને યાચના કરવા લાગ્યા.
ત્યારે મતિસમુદ્ર નામના મંત્રીએ ભરતને કહ્યું કે સમોસરણમાં મેં ભગવાનના
મુખેથી એમ સાંભળ્‌યું છે કે તમે જેમને ધર્માધિકારી જાણીને માન્યતા આપી છે તે બ્રાહ્મણો
પંચમકાળમાં મહામદોન્દનમત્ત થશે અને હિંસામાં ધર્મ માની જીવોને હણશે, મહાકષાયયુક્ત
થઈ સદા પાપ ક્રિયામાં પ્રવર્તશે અને હિંસાના પ્રરૂપક ગ્રંથોને સનાતન માનીને સમસ્ત
પ્રજાને લોભ ઉપજાવશે. મહા આરંભમાં આસક્ત, પરિગ્રહમાં તત્પર, જિનભાષિત માર્ગની
સદા નિંદા કરશે, નિર્ગ્રંથ મુનિને જોઈને ખૂબ ક્રોધ કરશે. આ વચન સાંભળી ભરત
એમના ઉપર કોપાયમાન થયા. ત્યારે તેઓ ભગવાનના શરણે ગયા. ભગવાને ભરતને
કહ્યું - હે ભરત! કળિકાળમાં આમ જ થવાનું છે, તમે કષાય ન કરો. આ પ્રમાણે
વિપ્રોની (બ્રાહ્મણોની) પ્રવૃત્તિ થઈ અને જેઓ ભગવાનની સાથે વૈરાગ્ય માટે નીકળ્‌યા
હતા તે ચારિત્રભ્રષ્ટ થયા. તેમનામાંથી કચ્છાદિક કેટલાક તો સવળા થઈ ગયા, પણ
મારીચાદિ સુલટા ન થયા. તેમના શિષ્ય-પ્રતિશિષ્યાદિક સાંખ્ય યોગમાં પ્રવર્ત્યા, તેમણે
કૌપીન (લંગોટી) ધારણ કરી, વલ્કલાદિ પહેર્યાં. આ વિપ્રોની અને પરિવ્રાજક એટલે દંડી
સન્યાસીઓની પ્રવૃત્તિ બતાવી.
ત્યારબાદ અનેક ભવ્ય જીવોને ભવસાગરથી તારીને ભગવાન ઋષભદેવ કૈલાસના
શિખર ઉપરથી નિર્વાણપદ પામ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. શ્રી દૌલતરામજી કૃત
ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં શ્રી ઋષભદેવનું કથન કરનાર ચોથો અધિકાર સંપૂર્ણ થયો.
* * *
પાંચમું પર્વ
હવે વંશોત્પત્તિ નામનો મહાધિકાર
હવે ગૌતમસ્વામીએ રાજા શ્રેણિકને વંશોની ઉત્પત્તિ કહી કે હે શ્રેણિક! આ
જગતમાં મહાવંશ ચાર છે, તેના અનેક ભેદ છે. ૧ ઈક્ષ્વાકુ વંશ. એ લોકનું આભૂષણ છે,
એમાંથી સૂર્યવંશ પ્રવર્ત્યો છે. ૨ સોમ (ચંદ્ર) વંશ. તે ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ છે.
૩ વિદ્યાધરોનો વંશ-અત્યંત નિર્મળ છે. ૪. હરિવંશ-જગતપ્રસિદ્ધ છે. હવે એનો ભિન્ન
ભિન્ન વિસ્તાર કહે છે.
ઈક્ષ્વાકુ વંશમાં ભગવાન ઋષભદેવનો જન્મ થયો, તેમના પુત્ર ભરત થયા.
ભરતના પુત્ર અર્કકીર્તિ થયા. રાજા અર્કકીર્તિ મહાતેજસ્વી રાજા હતા. એમના નામથી
સૂર્યવશં પ્રવર્ત્યો છે. અર્ક