Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 573 of 660
PDF/HTML Page 594 of 681

 

background image
પદ્મપુરાણ એકસો ત્રીજું પર્વ પ૭૩
અંકુશે વજ્રદંડથી લક્ષ્મણનાં આયુધો નિષ્ફળ કર્યાં અને રામે ચલાવેલાં આયુધોને લવણે
નિષ્ફળ કર્યાં. પછી લવણે રામ તરફ શેલ ફેંકી અને અંકુશે લક્ષ્મણ પર. તે એવી
નિપુણતાથી પ્રહાર કર્યો હતો કે બન્નેને મર્મસ્થાન પર ન વાગે, સામાન્ય ચોટ લાગી.
લક્ષ્મણના નેત્ર ફરવા લાગ્યાં તેથી વિરાધિતે રથ અયોધ્યા તરફ ફેરવ્યો. પછી લક્ષ્મણે
સચેત થઈને ક્રોધથી વિરાધિતને કહ્યું કે હે વિરાધિત! તેં શું કર્યું? મારો રથ પાછો
વાળ્‌યો? હવે ફરીથી રથને શત્રુની સામે લ્યો, રણમાં પીઠ ન બતાવાય. શૂરવીરોને શત્રુની
સામે મરણ સારું, પણ પીઠ બતાવવી એ મહાનિંદ્ય છે. એવું કર્મ શૂરવીરોને યોગ્ય નથી.
જે દેવ અને મનુષ્યોથી પ્રશંસાયોગ્ય હોય તે કાયરતાને કેમ ભજે? હું દશરથનો પુત્ર
રામનો ભાઈ, વાસુદેવ, પૃથ્વી પર પ્રસિદ્ધ, સંગ્રામમાં પીઠ કેમ બતાવું? આથી વિરાધિતે
રથને યુદ્ધ સન્મુખ કર્યો. લક્ષ્મણ અને મદનાંકુશ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષ્મણે ક્રોધથી
મહાભયંકર ચક્ર હાથમાં લીધું, તે જ્વાળારૂપ દેખી ન શકાય તેવું ગ્રીષ્મના સૂર્ય જેવું અંકુશ
પર ચલાવ્યું. તે અંકુશ સમીપે પહોંચતાં પ્રભાવરહિત થઈ ગયું અને પાછું ફરીને લક્ષ્મણના
હાથમાં આવ્યું. લક્ષ્મણે ફરીવાર ચક્ર ચલાવ્યું તે પણ પાછું આવ્યું. આ પ્રમાણે વારંવાર
પાછું આવ્યું. પછી અંકુશે હાથમાં ધનુષ લીધું. તે વખતે અંકુશને અત્યંત તેજસ્વી જોઈને
લક્ષ્મણના પક્ષના બધા સામંતો આશ્ચર્ય પામ્યા. આ મહાપરાક્રમી અર્ધચક્રવર્તી જન્મ્યો;
લક્ષ્મણે કોટિશિલા ઉપાડી હતી; તેમને એવો વિચાર આવ્યો કે મુનિનાં વચન,
જિનશાસનનું કથન, બીજી રીતે કેમ થાય? લક્ષ્મણે પણ મનમાં માની લીધું કે આ
બળભદ્ર નારાયણ જન્મ્યા છે, આથી પોતે લજ્જિત થઈ યુદ્ધની ક્રિયાથી શિથિલ થયા.
પછી લક્ષ્મણને શિથિલ જોઈ નારદના કહેવાથી સિદ્ધાર્થે લક્ષ્મણની પાસે જઈને કહ્યું
કે વાસુદેવ તમે જ છો, જિનશાસનનાં વચન સુમેરુથી પણ અતિ નિશ્ચળ હોય છે. આ
કુમાર જાનકીના પુત્ર છે. એ ગર્ભમાં હતા ત્યારે જાનકીને વનમાં તજી હતી. તે તમારાં
અંગ છે, તેથી એમના ઉપર ચક્રાદિક શસ્ત્ર ચાલે નહિ. પછી લક્ષ્મણે બન્ને કુમારોના
વૃત્તાંત સાંભળી, હર્ષિત થઈ હાથમાંથી હથિયાર હેઠા મૂકી દીધાં., બખ્તર દૂર કર્યું, સીતાના
દુઃખથી આંસુ પાડવા લાગ્યાં અને તેમનાં નેત્ર ફરવા લાગ્યા. રામ શસ્ત્ર ફેંકી બખ્તર
ઉતારી મોહથી મૂર્ચ્છિત થયા, તેમને ચંદન છાંટી સચેત કર્યા. પછી સ્નેહથી ભર્યા પુત્રો
પાસે ચાલ્યા. પુત્ર રથમાંથી ઉતરી હાથ જોડી, શિર નમાવી પિતાના પગમાં પડયા. શ્રી
રામ સ્નેહથી દ્રવીભૂત થયા, પુત્રોને હૃદય સાથે ચાંપી વિલાપ કરવા લાગ્યા. રામ કહે છે-
અરેરે, પુત્રો! મંદબુદ્ધિવાળા મેં ગર્ભમાં રહેલા તમને સીતા સહિત ભયંકર વનમાં તજ્યા,
તમારી માતા નિર્દોષ છે. અરેરે પુત્રો! કોઈ મહાન પુણ્યથી મને તમારા જેવા પુત્રો મળ્‌યા,
તે ઉદરમાં હતા ત્યારે ભયંકર વનમાં કષ્ટ પામ્યા. હે વત્સ! આ વજ્રજંઘ વનમાં ન આવત
તો હું તમારા મુખરૂપ ચંદ્રમાને કેમ જોઈ શકત? હે બાળકો! આ દિવ્ય અમોધ શસ્ત્રોથી
તમે ન હણાયા તે પુણ્યના ઉદયથી દેવોએ સહાય કરી. અરેરે, મારા અંગમાંથી ઉત્પન્ન
થનાર! મારાં બાણથી વીંધાઈને તમે રણક્ષેત્રમાં પડયા હોત તો જાનકી શું