રાજાએ કહ્યું-હે દેવી! તું કહે છે તે જ સત્ય છે. તેણે તેની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે
હું પાપી, લક્ષ્મીરૂપી પાશથી બંધાયેલો, વિષયરૂપ કીચડમાં ફસાયેલો હવે આ દોષથી કેવી
રીતે છૂટું? રાજા એમ વિચારે છે તે વખતે અયોધ્યાના સહ્સ્ત્રામ્રવનમાં મહાસંઘ સહિત
સિંહપાદ નામના મુનિ આવ્યા. એ સાંભળીને રાજા રણવાસ સહિત અને પ્રજાજનો સહિત
મુનિનાં દર્શન માટે ગયો, વિધિપૂર્વક ત્રણ-પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી જમીન પર બેઠો,
જિનેન્દ્રનો ધર્મ સાંભળી, ભોગોથી વિરક્ત થઈ મુનિ થયો. મહાન રાજાની પુત્રી રાણી
ચંદ્રાભા જે અતુલ્ય રૂપવતી હતી તે રાજવિભૂતિ તજી આર્યિકા થઈ. તેને દુર્ગતિની
વેદનાનો અધિક ભય છે. મધુનો ભાઈ કૈટભ રાજ્યને વિનશ્વર જાણી મહાવ્રતધારી મુનિ
થયો. બન્ને ભાઈ મહા તપસ્વી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. સકળ સ્વજનને પરમ
આનંદ આપનાર મધુનો પુત્ર કુળવર્ધન અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યો. મધુ સેંકડો વરસ
વ્રત પાળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના આરાધી સમાધિમરણકરી
સોળમા અચ્યૂત સ્વર્ગમાં અચ્યૂતેન્દ્ર થયો અને કૈટભ પંદરમા આરણ નામના સ્વર્ગમાં
આરણેન્દ્ર થયો. ગૌતમ સ્વામી કહે છે હે શ્રેણિક! આ જિનશાસનનો પ્રભાવ જાણો કે
આવા અનાચારી પણ અનાચારનો ત્યાગ કરી અચ્યૂતેન્દ્રપદ પામે તો ઇન્દ્રપદનું શું
આશ્ચર્ય? જિનધર્મના પ્રસાદથી મોક્ષ પણ પામે. મધુનો જીવ અચ્યૂતેન્દ્ર હતો, તેની સમીપે
સીતાનો જીવ પ્રતીન્દ્ર થયો. મધુનો જીવ સ્વર્ગમાંથી ચ્યવી શ્રી કૃષ્ણની રુકમણી રાણીનો
પ્રદ્યુમ્ન નામનો કામદેવ પુત્ર થયો અને મોક્ષ પામ્યો. કૈટભનો જીવ કૃષ્ણની જામવંતી
રાણીનો શંબુકુમાર નામનો પુત્ર થઈ પરમધામ પામ્યો. આ તને મધુનું ચરિત્ર કહ્યું. હવે હે
શ્રેણિક! બુદ્ધિમાનોના મનને પ્રિય એવા લક્ષ્મણના મહાધીર વીર આઠ પુત્રોનું પાપનો
નાશ કરવાનું
કરનાર એકસો નવમું પર્વ પૂર્ણ થયું.
પછી કાંચનસ્થાન નગરના રાજા કાંચનરથ અને રાણી શતહૃદો તેમની પુત્રીઓ
ભૂચર-ખેચરોને, તેમના પુત્રોને કન્યાના પિતાએ પત્ર લખી અને દૂત મોકલી શીઘ્ર
બોલાવ્યા. સૌથી પ્રથમ દૂતને અયોધ્યા મોકલ્યો અને પત્રમાં લખ્યું કે મારી પુત્રીઓનો
સ્વયંવર છે તો આપ કૃપા કરી કુમારોને શીઘ્ર મોકલો. તેથી રામ-લક્ષ્મણે પ્રસન્ન થઇ
પરમઋદ્ધિયુક્ત બધા પુત્રોને