૩૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ખસીને અંતર્દ્રષ્ટિ કરતાં તને તારી સ્વરૂપસંપદા પ્રાપ્ત થશે. પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ કેમકે તારી ચૈતન્યસંપદા અનંત શાંતિનું કારણ છે.
‘જ્યાંસુધી વિકલ્પભાવ છે ત્યાંસુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે.
બહુ થોડામાં ખૂબ ગંભીર વાત કરી છે. જ્યાંસુધી વિકલ્પનો ભાવ મારો છે એમ માને ત્યાંસુધી કર્તાકર્મભાવ છે. પરંતુ વિકલ્પથી ભિન્ન મારો તો જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવ છે એમ ભેદજ્ઞાન- વિવેક પ્રગટ કરે ત્યારે કર્તાકર્મભાવનો અભાવ થઈ જાય છે અને ત્યારે અંતરમાં ધર્મ પ્રગટ થાય છે.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છેઃ-
‘यः करोति सः केवलं करोति’ જે કરે છે તે કેવળ કરે જ છે ‘तु’ અને ‘यः वेत्ति सः तु केवलम् वेत्ति’ જે જાણે છે તે કેવળ જાણે જ છે; ‘यः करोति सः क्वचित् न हि वेत्ति’ જે કરે છે તે કદી જાણતો નથી ‘तु’ અને ‘यः वेत्ति सः क्वचित् न करोति’ જે જાણે છે તે કદી કરતો નથી.
જે કર્તા છે તે કેવળ કર્તા જ છે અને જે જાણે છે તે કેવળ જાણે જ છે. કહ્યું છે ને (સમયસાર નાટકમાં)
અજ્ઞાની રાગ મારો છે એવું માને છે, તે કર્તા જ છે. જે જ્ઞાની છે તે જાણે જ છે, તે રાગના જાણનાર જ છે. રાગને અને પોતાને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય દ્વારા માત્ર જાણે જ છે. કથંચિત્ જાણે છે અને કથંચિત્ રાગને કરે છે એમ નથી. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! કોઈ માગણ કહેતા હોય છે-‘‘દાદા! બીડી આપજો, એક દિવાસળી આપજો; તમને ધર્મ થશે.’’ ધર્મ આવી ચીજ નથી, ભાઈ! અજ્ઞાની કહે છે કે પરની દયા પાળવી તે ધર્મ, પૈસા દાનમાં આપે તે ધર્મ; પણ ભાઈ ધર્મનું આવું સ્વરૂપ નથી. ધર્મ શું ચીજ છે તેને જાહેર કરતાં દિગંબર સંતો કહે છે-જે કર્તા છે તે કેવળ કર્તા જ છે. રાગનો કર્તા છે તે માત્ર કર્તા જ છે. તેનો તે કર્તા પણ છે અને જાણનાર પણ છે એવું સ્વરૂપ નથી.
પ્રભુ! તું વિજ્ઞાનઘનસ્વરૂપ છો ને! જગતથી તદ્ન ભિન્ન તું જગદીશ છો ને!