૩૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
હરિગીતમાં ‘નય પરિહીણા’ નો અર્થ શુદ્ધનયપરિચ્યુત’ કર્યો છે તેમાં મૂળ અર્થ ફેરવી નાખ્યો નથી પણ મૂળ અર્થનું સ્પષ્ટીકરણ કર્યું છે.
‘જ્યારે જ્ઞાની શુદ્ધનયથી ચ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી...,’
જુઓ, આમ કહીને શું કહેવા માગે છે? એ જ કે નિર્વિકલ્પ અભેદ નિજ ચૈતન્યમહાપ્રભુની દ્રષ્ટિમાં અતીન્દ્રિય આનંદનું વેદન થવું-આવવું એ શુદ્ધનયમાં રહેવું છે, અને ત્યાંથી-સ્વભાવથી ખસી પર્યાયબુદ્ધિ થઈ જવી અર્થાત્ શુભરાગમાં એકત્વબુદ્ધિએ પરિણમે એવી રાગની દ્રષ્ટિ થઈ જવી તે શુદ્ધનયથી ચ્યુત-ભ્રષ્ટ થઈ જવું છે. અહીં કહે છે-શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ જાય ત્યારે તેને મિથ્યાત્વસંબંધીના અર્થાત્ અનંતાનુબંધીના રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે. અહા! જ્યાં સ્વભાવની રુચિ છૂટી રાગની રુચિ થઈ ગઈ ત્યાં (ફરી) મિથ્યાત્વ થઈ ગયું અને ત્યાં તેને અનંતાનુબંધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. ‘રાગાદિભાવોનો સદ્ભાવ’ નો અર્થ મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ ઉત્પન્ન થવાની વાત છે. (અસ્થિરતાના રાગની વાત નથી). અહાહા...! બહારમાં ધર્મીને વ્રત, સંયમ, તપ, નિર્દોષ આહાર ઇત્યાદિ ક્રિયા એવી ને એવી દેખાતી હોય પણ અંદરમાં ચૈતન્ય ભગવાન જે પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે એના વેદનમાંથી ખસી દયા, દાન, વ્રત, તપ આદિના શુભરાગની રુચિમાં આવી જાય તો તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે અને તેને અનંતાનુબંધીના રાગાદિનો સદ્ભાવ થઈ જાય છે.
હવે કહે છે-આ રીતે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, ‘પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (-દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (- કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે.’
અહા! જુઓ! જૂનાં કર્મો તો જ્ઞાની અને અજ્ઞાની બન્નેને સત્તામાં પડયાં છે પણ જ્ઞાનીને એના ઉદયકાળમાં, દ્રષ્ટિના વેદનમાં આત્માના આનંદનું વેદન છે તેથી તેને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ થતા નથી અને તેથી તેને તે ઉદય ખરી જાય છે અને નવા બંધનું કારણ થતો નથી. પરંતુ જ્યારે તે જ આત્મા ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી ભ્રષ્ટ થઈ પર્યાયબુદ્ધિ થઈ જાય છે વા રાગની રુચિપણે પરિણમી જાય છે ત્યારે મિથ્યાત્વસંબંધી રાગદ્વેષના સદ્ભાવને લીધે દ્રવ્યપ્રત્યયો એટલે પૂર્વે બંધાયેલાં કર્મો નવા કર્મબંધનું કારણ થાય છે. રાગાદિભાવોનો સદ્ભાવ થતાં તેને નવા બંધનું અનિવાર્યપણું છે અર્થાત્ હવે તેને નવું બંધન થશે જ. જૂનાં કર્મના ઉદયને, અજ્ઞાનીનો સ્વભાવથી ભ્રષ્ટ થવાથી ઉત્પન્ન થયેલો રાગદ્વેષનો ભાવ હેતુનો હેતુ હોવાથી અર્થાત્ નવીન બંધનું નિમિત્ત હોવાથી તેને બંધન થશે જ. અજ્ઞાની થતાં દ્રષ્ટિ પલટી જવાથી રાગાદિભાવોનો