Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1823 of 4199

 

૩૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः।
उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति।। १८२।।
एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य।
तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा।। १८३।।

ક્રોધાદિકમાં [कोऽपि उपयोगः] કોઈ ઉપયોગ [नास्ति] નથી; [च] વળી [क्रोधः] ક્રોધ [क्रोधे एव हि] ક્રોધમાં જ છે, [उपयोगे] ઉપયોગમાં [खल] નિશ્ચયથી [क्रोधः] ક્રોધ [नास्ति] નથી. [अष्टविकल्पे कर्मणि] આઠ પ્રકારનાં કર્મ [च अपि] તેમ જ [नोकर्मणि] નોકર્મમાં [उपयोगः] ઉપયોગ [नास्ति] નથી [च] અને [उपयोगे] ઉપયોગમાં [कर्म] કર્મ [च अपि] તેમ જ [नोकर्म] નોકર્મ [नो अस्ति] નથી.- [एतत् तु] આવું [अविपरीतं] અવિપરીત [ज्ञानं] જ્ઞાન [यदा तु] જ્યારે [जीवस्य] જીવને [भवति] થાય છે, [तदा] ત્યારે [उपयोगशुद्धात्मा] તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા [किञ्चित् भावम्] ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને [न करोति] કરતો નથી.

ટીકાઃ– ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ

કાંઈ સંબંધી નથી) કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દ્રઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (-રહેલું) છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણનક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે.) વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ- વિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી; કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાકિને) આધારાધેયપણું નથી.