Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1838 of 4199

 

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૭ જાણવામાં આવે છે માટે તેને આધાર કહ્યો અને આત્માને આધેય કહ્યો. આ જાણનક્રિયા સ્વભાવભૂત હોવાથી આત્માથી અભિન્ન છે. માટે કહ્યું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે.

વળી, ‘ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે.’

આત્મસ્વભાવની અરુચિરૂપ જે ભાવ-ક્રોધ, માન, માયા અને લોભ તેને ક્રોધાદિ કહ્યા છે. સ્વરૂપની અરુચિના બે પ્રકાર-રાગ અને દ્વેષ. તેમાં સ્વરૂપની અરુચિ એવો જે દ્વેષભાવ તેના બે પ્રકાર-ક્રોધ અને માન અને સ્વરૂપ પ્રત્યેનો અનાદર એવો જે રાગ તેના બે પ્રકાર-માયા અને લોભ.

આત્મા સદા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદસ્વરૂપે અંદર વિરાજે છે. તેને છોડી જેને પુણ્યભાવની રુચિ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે-આત્માની અરુચિરૂપ ક્રોધાદિ પરિણામની ક્રિયા થઈ તેના આધારે ક્રોધાદિ છે. વિકારના પરિણમનની ક્રિયાના આધારે વિકાર છે, આત્માના આધારે વિકાર નથી. રાગની ક્રિયા તે આત્માના વિરોધની-ક્રોધાદિ ક્રિયા છે. જીવની ક્રોધાદિકની પર્યાય અનાદિથી ક્રોધાદિ ક્રિયામાં છે; તેની પરિણતિમાં ક્રોધાદિ વિકારભાવ આત્માને લઈને નથી. વિકાર પણ પોતાના ષટ્કારકથી પરિણમે છે. ક્રોધાદિ ક્રિયા એટલે વિકારનું ષટ્કારકરૂપ જે પરિણમન તેમાં ક્રોધાદિ છે, આત્મા નથી અને આત્મામાં ક્રોધાદિ નથી. સ્વરૂપની વિપરીત માન્યતારૂપ જે મિથ્યાત્વની ક્રિયા એના પરિણમનમાં વિકાર છે, આત્માના પરિણમનમાં મિથ્યાત્વાદિ વિકાર નથી.

ક્રોધાદિક્રિયા એટલે ક્રોધાદિનું પરિણમન; એ પરિણમનમાં ક્રોધાદિ છે. આત્માની પર્યાયમાં ક્રોધાદિનું પરિણમન નથી. આત્માની પર્યાય તો જાણવું-દેખવું આનંદ આદિ છે. આત્માની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે કેમકે એમાં ભગવાન આત્મા છે જ્યારે ક્રોધાદિ પરિણમનમાં આત્મા જણાતો નથી કેમકે તેમાં આત્મા કયાં છે કે જણાય?

અહીં કહે છે-ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું છે, જેમ જ્ઞાન અને આનંદનું પરિણમન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માથી અભિન્ન છે તેમ ક્રોધાદિનું પરિણમન ક્રોધાદિથી અભિન્ન છે. ક્રોધાદિ પરિણમનમાં ક્રોધાદિ જણાય છે, આત્મા નહિ. પુણ્ય-પાપરૂપ પરિણમનમાં પુણ્ય- પાપના ભાવ છે એમ જણાય છે. પુણ્ય-પાપના ભાવમાં આત્મા છે અને આત્માથી તે થયા છે એમ છે નહિ. અહીં બન્ને વચ્ચેની ગાંઠને ભેદી-ચીરી નાખી છે.

જ્યાંસુધી પર્યાયબુદ્ધિ છે ત્યાંસુધી રાગની બુદ્ધિ છે. એ રાગની બુદ્ધિના આધારે રાગ છે, આત્માના આધારે રાગ છે એમ છે નહિ. ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે અર્થાત્ વિકારનું પરિણમન વિકારથી એકમેક હોવાને લીધે