_________________________________________________________________ જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] આ રીતે [चिरम् नव–तत्त्वच्छन्नम् इदम् आत्मज्योतिः] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [वर्णमाला–कलापे निमग्नं कनकम् इव] જેમ વર્ણોના સમૂહમાં છૂપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [उन्नीयमानं] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [अथ] માટે હવે હે ભવ્ય જીવો! [सततविविक्तं] હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [एकरुपं] એકરૂપ [द्रश्यताम्] દેખો. [प्रतिपदम् उद्योतमानम्] આ (જ્યોતિ), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થઃ– આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડયો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો- એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮.
ટીકાઃ– હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. ૧ઉપાત્ત અને ૨અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ _________________________________________________________________ ૧. ઉપાત્ત=મેળવેલા. (ઈંદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૨. અનુપાત્ત=અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)