સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૭૧
किॢश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।। १४२।।
શ્લોકાર્થઃ– [दुष्करतरैः] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય
એવાં) અને [मोक्ष–उन्मुखैः] મોક્ષથી પરાઙ્મુખ એવાં [कर्मभिः] કર્મો વડે [स्वयमेव] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [क्लिश्यन्तां] કલેશ પામે તો પામો [च] અને [परे] બીજા કોઈ જીવો [महाव्रत–तपः– भारेण] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [चिरम्] ઘણા વખત સુધી [भग्नाः] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [क्लिश्यन्तां] કલેશ પામે તો પામો; (પરંતુ) [साक्षात् मोक्षः] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [निरामयपदं] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [स्वयं संवेद्यमानं] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [इदं ज्ञानं] આ જ્ઞાન તો [ज्ञानगुणं विना] જ્ઞાનગુણ વિના [कथम् अपि] કોઈ પણ રીતે [प्राप्तुं न हि क्षमन्ते] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી.
ભાવાર્થઃ– જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ-
જુઓ, એકલું એકરૂપ જે જ્ઞાન તે આત્મસ્વભાવ છે અને તેમાં એકાગ્રતા એ એક જ મોક્ષનો ઉપાય છે, બાહ્ય ક્રિયાકાંડ કોઈ ઉપાય નથી એમ કહે છેઃ-