Pravachan Ratnakar (Gujarati). Kalash: 142.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2084 of 4199

 

સમયસાર ગાથા-૨૦૪ ] [ ૧૭૧

किञ्च–
(शार्दूलविक्रीडित)
किॢश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
किॢश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।। १४२।।
હવે વળી વિશેષ કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[दुष्करतरैः] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય

એવાં) અને [मोक्ष–उन्मुखैः] મોક્ષથી પરાઙ્મુખ એવાં [कर्मभिः] કર્મો વડે [स्वयमेव] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [क्लिश्यन्तां] કલેશ પામે તો પામો [च] અને [परे] બીજા કોઈ જીવો [महाव्रत–तपः– भारेण] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [चिरम्] ઘણા વખત સુધી [भग्नाः] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [क्लिश्यन्तां] કલેશ પામે તો પામો; (પરંતુ) [साक्षात् मोक्षः] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [निरामयपदं] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [स्वयं संवेद्यमानं] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [इदं ज्ञानं] આ જ્ઞાન તો [ज्ञानगुणं विना] જ્ઞાનગુણ વિના [कथम् अपि] કોઈ પણ રીતે [प्राप्तुं न हि क्षमन्ते] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી.

ભાવાર્થઃ– જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.

*
સમયસાર ગાથા ૨૦૪ઃ મથાળું

હવે, ‘કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે’ એવા અર્થની ગાથા કહે છેઃ-

જુઓ, એકલું એકરૂપ જે જ્ઞાન તે આત્મસ્વભાવ છે અને તેમાં એકાગ્રતા એ એક જ મોક્ષનો ઉપાય છે, બાહ્ય ક્રિયાકાંડ કોઈ ઉપાય નથી એમ કહે છેઃ-