૪૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહો! હું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપ આત્મા છું-એવી જ્ઞાનકલા મને જાગી છે. આને સમ્યગ્દ્રષ્ટિ કહેવાય છે. કહે છે-મને હવે જ્ઞાનકલા પ્રગટી છે તેથી હવે ભવવાસ રહેશે નહિ. અહા! આ હાડકાં ને ચામડાંમાં વસવાનું હવે જ્ઞાનકલાના બળે છૂટી જશે; હવે શરીરમાં રહેવાનું થશે નહિ. લ્યો, આવી વાત! અહો! જ્ઞાનકલા!
પ્રશ્નઃ– પણ આમાં બંગલામાં રહેવાનું તો ન આવ્યું? બંગલામાં રહે તો સુખી ને?
ઉત્તરઃ– ધૂળેય સુખી નથી સાંભળને. બંગલા કયાં તારા છે? આ બંગલા તો જડ માટી-ધૂળના છે; અને અમે એમાં રહીએ એમ તું માને એ તો મિથ્યાત્વનું મહા પાપ છે અને તેનું ફળ મહા દુઃખ છે, ચારગતિની રખડપટ્ટી છે. ભાઈ! આ શરીર પણ જડ માટી- ધૂળ છે. એ બધાં જડનાં-ધૂળનાં ઘર છે બાપા! ભક્તિમાં આવે છે ને કે-
પરઘર ભ્રમત બહુત દિન બીતે નામ અનેક ધરાયે... હમ તો...”
અહા! હું પુણ્યવંત છું ને હું પાપી છું ને હું મનુષ્ય છું ને હું નારકી છું ને હું પશુ છું,... ઇત્યાદિ (માને) પણ અરે ભગવાન! એ તો બધા પુદ્ગલના સંગે થયેલા સ્વાંગ છે. એ તો બધાં પુદ્ગલનાં ઘર છે પ્રભુ! એમાં તારું નિજઘર કયાં છે? તારું નિજઘર તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો સાહેબો પ્રભુ આત્મા છે. ભગવાન! તું અનાદિથી એક ક્ષણ પણ નિજઘરમાં આવ્યો નથી!
અહીં તો જે નિજઘરમાં આવ્યો છે તેની વાત છે. અહા! જ્ઞાની જાણે છે કે-હું તો સ્વતઃસિદ્ધ અનાદિ-અનંત છું. અહા! મને કોઈ બનાવવાવાળો ઇશ્વર આદિ છે નહિ એવો હું અવિનાશી અકૃત્રિમ પદાર્થ છું. વળી હું અચળ, એક છું. અહા! એમાં એક જ્ઞાન-જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહિ. વળી ‘તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી.’ જુઓ, કલશમાં ભાષા છે ને કે-‘द्वितीयोदयः न’–તેમાં બીજાનો ઉદય નથી. મારા એકમાં દ્વિતીયનો બીજાનો ઉદય-પ્રગટવાપણું છે નહિ. ઝીણી વાત બાપુ! આવું સ્વરૂપ સમજ્યા વિના દયા, દાન, વ્રત આદિ અનંતવાર કર્યાં પણ એ બધાં ફોગટ ગયાં.
અહીં કહે છે-મારી અનાદિ-અનંત નિત્ય ચીજમાં બીજું કાંઈ ઉત્પન્ન થતું નથી, બીજું કાંઈ આવતું નથી; ‘માટે તેમાં અણધાર્યું કાંઈ પણ કયાંથી થાય? અર્થાત્