Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2545 of 4199

 

સમયસાર ગાથા-રપ૦] [૬પ

હવે કહે છે-‘અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.’

સમ્યગ્દ્રષ્ટિને જ્યારે પર તરફનું લક્ષ જાય ત્યારે પરને બચાવું, અભયદાન દઉં- એવો વિકલ્પ આવે, પણ તે સમયે તેને અંતરમાં એવો દ્રઢ નિશ્ચય છે કે હું એનો જીવનદાતા નથી, હું પરને અભયદાન દઈ શકતો નથી. એનું જીવન તો એના કારણથી છે, મારો વિકલ્પ તો તેમાં નિમિત્તમાત્ર છે, નિમિત્તકર્તા નહિ. આવું યથાર્થ જાણે તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દ્રષ્ટિ છે.

ભાવાર્થઃ– ‘પર મને જિવાડે છે અને હું પરને જિવાડું છું-એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદ્રષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દ્રષ્ટિ છે.’ લ્યો, આવો સ્પષ્ટ ભાવાર્થ છે.

[પ્રવચન નં. ૩૧૪ (ચાલુ) * દિનાંક ૮-૨-૭૭]
ॐ ॐ ॐ
ॐ ॐ