Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 283 of 4199

 

] [સમયસાર પ્રવચન

હવે આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની વાત હતી, ગાથા ૧પ માં સમ્યગ્જ્ઞાનની વાત કરી, અને ગાથા ૧૬ માં દર્શન-જ્ઞાન- ચારિત્ર ત્રણેય લે છે. આ કળશ ૧૬ નો ઉપોદ્ઘાત છે.

* કળશ ૧પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एषः ज्ञानघनः आत्मा’ આ (પૂર્વકથિત) જ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. જેમ પહેલાં ‘ઘી’ એવાં આવતાં કે શિયાળાના દિવસોમાં અંદર આંગળી તો પ્રવેશ ન પામે પરંતુ તાવેથો પણ વળી જાય. (પ્રવેશ પામે નહિ). એમ ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનઘન છે. તેમાં શરીર, વાણી કે કર્મ તો પ્રવેશી શક્તાં નથી પરંતુ દયા, દાન આદિના વિકલ્પો કે વર્તમાન પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. એવા જ્ઞાનઘનસ્વરૂપ આત્માને ‘सिद्धिम् अभीप्सुभिः’ સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છક પુરુષોએ ‘साध्यसाधक भावेन् द्विधा’ સાધ્ય- સાધક ભાવના ભેદથી બે પ્રકારે, ‘एकः नित्यम् समुपास्यताम्’ એક જ નિત્ય સેવવા યોગ્ય છે; તેનું સેવન કરો. શું કહ્યું? જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય એ સાધ્ય છે અને વર્તમાનમાં સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ સાધક છે. જ્ઞાયકભાવના (આત્મદ્રવ્યના) બે ભેદજ્ઞાનની પૂર્ણતાનો ભાવ એ સાધ્ય અને અપૂર્ણ સમ્યગ્જ્ઞાનરૂપ પરિણતિ એ સાધક. વચમાં દયા, દાન, આદિ વિકલ્પો થાય એ કાંઈ સાધક નથી, તથા એનાથી મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. આ રીતે સાધ્ય-સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ આત્મા નિત્ય સેવન કરવા યોગ્ય છે. પ્રકાશનો પુંજ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સાધક ભાવરૂપ થઈને પોતે જ સાધ્ય થાય છે, વચમાં કોઈ રાગાદિની-વ્યવહારરત્નત્રયના પરિણામની એને મદદ નથી.

જ્ઞાનીની વાત સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો પણ હવે એમ કહેવા લાગ્યા છે કે અમોને અહીં પણ આત્માના લક્ષે ઉપવાસાદિ થાય છે. પરંતુ જેઓ કુદેવ-કુગુરુ- કુશાસ્ત્રને માને છે કે જે મિથ્યાત્વ છે અર્થાત્ જ્યાં સમ્યગ્દર્શનનાં ઠેકાણાં પણ નથી ત્યાં આત્માનું લક્ષ કયાંથી હોય? જેને જ્ઞાન અને દર્શન પૂર્ણ પ્રાપ્ત થઈ ગયાં છે એવા અરિહંત સર્વજ્ઞ પરમાત્મા દેવ છે. તે સર્વ દોષોથી રહિત વીતરાગ છે. એના શરીરની દશા એવી છે કે તેમને ક્ષુધા, તૃષા કે રોગ આદિ દોષ હોતા નથી. તથા સાચા નિર્ગ્રંથ ગુરુ એને કહે છે કે જે મહાવ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને ત્રણ કષાયના અભાવપૂર્વક સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત ચારિત્રની રમણતામાં ઝૂલે છે. આવું યથાર્થ જાણ્યા વિના ભગવાનને રોગ આદિ થાય છે એમ માને તથા જ્યાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ ખબર નથી એને આત્માના લક્ષે કોઈ વાત (સાધના) હોઈ શકે નહીં. ઝીણી વાત છે, ભાઈ! આ તો જન્મ-મરણનો અંત કરવાની વાત છે.

અહીં કહે છે કે આત્મા ચૈતન્યઘન પિંડ છે. એની નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વસંવેદન