Pravachan Ratnakar (Gujarati). Gatha: 17-18.

< Previous Page   Next Page >


PDF/HTML Page 305 of 4199

 

ગાથા ૧૭–૧૮

હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છેઃ-

जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि।
तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।। १७ ।।
एवं हि जीवराया णादव्वो तह य सद्दहेदव्वो।
अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण।। १८ ।।

यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति।
ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन।। १७ ।।

एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः।
अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।। १८ ।।

જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.

જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.

ગાથાર્થઃ– [यथा नाम] જેમ [कः अपि] કોઈ [अर्थार्थिकः पुरुषः] ધનનો અર્થી પુરુષ [राजानं] રાજાને [ज्ञात्वा] જાણીને [श्रद्दधाति] શ્રદ્ધા કરે છે, [ततः पुनः] ત્યાર બાદ [तं प्रयत्नेन अनुचरति] તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, [एवं हि] એવી જ રીતે [मोक्षकामेन] મોક્ષની ઈચ્છાવાળાએ [जीवराजः] જીવરૂપી રાજાને [ज्ञातव्यः] જાણવો, [पुनः च] પછી [तथा एव] રીતે જ [श्रद्धातव्यः] તેનું શ્રદ્ધાન કરવું [तु च] અને ત્યાર બાદ [स एव अनुचरितव्यः] તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું.

ટીકાઃ– નિશ્ચયથી જેમ કોઈ ધન-અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે ‘આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે’ અને ત્યાર પછી જ તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે; તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને