૩૮] [પ્રવચન રત્નાકર ભાગ-૯
અહાહા....! ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ પ્રભુ- એની દ્રષ્ટિ થતાં તે પરનો અને રાગનો કર્તા થતો નથી. અકર્તા રહે છે. જ્ઞાતાપણે રહે છે અને એનું નામ જૈનધર્મ છે. સમજાણું કાંઈ...?
‘આ રીતે જીવ અકર્તા છે તોપણ તેને બંધ થાય છે એ કોઈ અજ્ઞાનનો મહિમા છે’ - એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘स्वरसतः विशुद्धः’ જે નિજરસથી વિશુદ્ધ છે, અને ‘स्फूरत्–चित्–ज्योतिर्भिः छुरित–भुवन–आभोग–भवनः’ સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, ‘अयं जीवः’ એવો આ જીવ ‘ईति’ પૂર્વોક્ત રીતે (પરદ્રવ્ય અને પરભાવોનો) ‘अकर्ता स्थितः’ અકર્તા ઠર્યો......
શું કીધું? કે આત્મા પોતે નિજરસથી એટલે સહજ જ્ઞાનાનંદરસથી વિશુદ્ધ નામ પવિત્ર છે, નિર્મળ છે. અહાહા...! પોતાની શક્તિથી-સ્વભાવથી જ આત્મા નિર્મળાનંદ પ્રભુ પવિત્ર છે. એટલે શું? કે જ્ઞાન અને આનંદપણે થાય એવો એનો સ્વભાવ છે પણ રાગના કે પરના કર્તાપણે થાય એવો એનો સ્વભાવ જ નથી. લ્યો, આવી સૂક્ષ્મ વાત છે.
જીવ ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિમાં અનંતકાળથી પરિભ્રમણ કરીને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. અહા! એના દુઃખનું શું કહેવું? અહીં કહે છે-તે દુઃખ જીવનો સ્વભાવ નથી. દુઃખના ભાવે થવું એ એનો સ્વભાવ નથી.
આ શરીર, કર્મ વગેરે તો જડ માટી-ધૂળ છે; અંદર પુણ્ય-પાપના જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે રાગ છે, તે શુદ્ધ અંતઃતત્ત્વથી ભિન્ન છે. ભાઈ! નવે તત્ત્વ ભિન્ન ભિન્ન છે. અજીવ તત્ત્વ અજીવપણે છે, પુણ્ય તત્ત્વ પુણ્યપણે છે ને પાપ તત્ત્વ પાપપણે છે; તથા ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવપણે છે. અહાહા....! ભગવાન આત્મા આનંદ- અમૃતનું વાસ્તુ પ્રભુ નિજરસથી વિશુદ્ધ છે, પવિત્ર છે. અહાહા..!
વહાૉં હૈ અમીકા વાસા,
સુગુરા હોય સો ભર ભર પીએ
નગુરા જાવૈ પ્યાસા... .... .... સંતો.... .... ....
અહાહા...! લોકાકાશમાં આકાશથી ભિન્ન ભગવાન આત્મા અંદર એકલા અમૃતનો વાસ છે. કોઈ સુગુરા જીવ તો અંતરમાં સ્વસ્વરૂપના ભાવનું ભાસન કરી,