जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव।। ३२०।।
जानाति च बन्धमोक्षं कर्मोदयं निर्जरां चैव।। ३२०।।
यथात्र लोके द्रष्टिर्द्रश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् द्रश्यं न करोति न वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्व केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं द्रष्टृत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च, किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति।
હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે? તેનો ઉત્તર દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ-
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦
ગાથાર્થઃ– [यथा एव द्रष्टिः] જેમ નેત્ર (દ્રશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), [तथा] તેમ [ज्ञानम्] જ્ઞાન [अकारकं] અકારક [अवेदकं च एव] તથા અવેદક છે, [च] અને [बन्धमोक्षं] બંધ, મોક્ષ, [कर्मोदयं] કર્મોદય [निर्जरां च एव] તથા નિર્જરાને [जानाति] જાણે જ છે.
ટીકાઃ– જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, દ્રશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી-જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, *સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું _________________________________________________________________ * સંધુક્ષણ = સંધૂકણ; અગ્નિ સળગાવનાર પદાર્થ; અગ્નિ ચેતાવનારી વસ્તુ.