Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3777 of 4199

 

૩૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ તે કર્મફળચેતના છે. અહીં કહે છે - તેને (-કર્મચેતના ને કર્મફળચેતનાને) દૂર કરી જ્ઞાનચેતનાનો અનુભવ કર. જ્ઞાનચેતનારૂપ અભ્યાસ કરવો તે ધર્મ છે. અહાહા...! હું તો જ્ઞાનસ્વરૂપ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છું, જાણનાર-દેખનાર છું એમ સ્વાભિમુખ થઈ અભ્યાસ કરવો તે જ્ઞાનચેતનાનો અભ્યાસ છે અને તે ધર્મ છે. કર્મચેતના ને કર્મફળચેતનાનો અભ્યાસ સંસાર છે, દુઃખ છે; એનાથી વિપરીત જ્ઞાનચેતનાનો અભ્યાસ ધર્મ છે ને તેનું ફળ પરમ શુદ્ધતારૂપ મોક્ષ છે, પરમ અતીન્દ્રિય સુખ છે. માટે કર્મચેતના ને કર્મફળચેતના દૂર કરી એક શુદ્ધભાવમય જ્ઞાનચેતનાનો અભ્યાસ કરો.

*

આમ શ્રી સમયસારની (શ્રીમદ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વ- વિશુદ્ધજ્ઞાનના પ્રરૂપક નવમા અંક પરનાં શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો સમાપ્ત થયાં.

[પ્રવચન નં. પ૧૧ થી પ૧પ * દિનાંક ૪-૧૨-૭૭ થી ૧૮-૧૨-૭૭]