Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4093 of 4199

 

૧૭૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧

દ્રવ્યદ્રષ્ટિવંત ધર્મી પુરુષ વિકારને પરજ્ઞેય તરીકે જાણે છે. જ્ઞાન કરનારી તે જ્ઞાનની પર્યાય વર્તમાન વિદ્યમાન છે તેમાં વિકારનો અભાવ છે. આમ દરેક ગુણમાં સમજવું. ભગવાન! તું જ્ઞાનાનંદ સ્વભાવી છો. તારામાં રાગને આકુળતાના અભાવરૂપ સ્વભાવ છે. ત્રિકાળ પરના અભાવસ્વભાવરૂપ પ્રભુ તું છો. હવે આમ છે ત્યાં પરદ્રવ્યની પર્યાયને જીવ કરે એ વાત જ કયાં રહે છે? ને પરદ્રવ્ય જીવની પર્યાયને કરે એ વાત પણ કયાં રહે છે? અંતરાય કર્મના અભાવથી વીર્યશક્તિનું પરિણમન થયું એમ વાત કયાં રહે છે? એમ છે જ નહિ.

અહાહા...! ભગવાન આત્મા વિકલ્પરહિત (શુદ્ધ) દિગંબર છે. મિથ્યાત્વના અભાવરૂપ પરિણમન કરે ત્યારે જીવ દ્રષ્ટિમાં દિગંબર થયો કહેવાય. સમકિતી અને ભાવલિંગી મુનિ દિગંબર છે. અહાહા...! અંદરમાં ત્રણ કષાયનો અભાવ અને બહારમાં વસ્ત્રનો અભાવ તેનું નામ દિગંબર મુનિદશા છે. જો કે પરદ્રવ્યનો સ્વભાવમાં અભાવ છે, ને પરદ્રવ્ય નુકસાન કરતું નથી; પણ તેની મમતા છે તે નુકસાનનું કારણ છે. વસ્ત્ર પ્રત્યેનો રાગ-મમતા છે તે નુકસાનનું કારણ છે. દેહની રક્ષાનો રાગ છે, મમતા છે તે નુકશાનનું કારણ છે. તેથી જ કપડાં રાખવાનો રાગ હોય ત્યાં સુધી મુનિદશા હોતી નથી. માર્ગ આ છે ભાઈ. આમાં શું કરવું-શું ન કરવું-તે તો પોતાને નિર્ણય કરવાની વાત છે. અમારી પાસે તો તત્ત્વદ્રષ્ટિની આ વાત છે. જેને જેમ ઠીક પડે તેમ કરે, પણ વસ્ત્ર સહિત મુનિપણું માને-મનાવે તેની નવતત્ત્વની ભૂલ છે, અર્થાત્ તેની મિથ્યાત્વદશા છે. આવી વાત છે.

શુદ્ધ ચૈતન્યના આશ્રયે મુનિદશામાં ત્રણ કષાયનો અભાવ થાય છે. તેમ થતાં તેને અસ્થિરતાનો રાગ તેની ભૂમિકાને યોગ્ય જ હોય છે. મુનિદશામાં વસ્ત્ર રાખવાનો રાગ હોઈ શકે નહિ; તેથી વસ્ત્ર સહિતને આસ્રવ તત્ત્વની ભૂલ છે. તેને શુદ્ધ જીવદ્રવ્યનો આશ્રય નથી તે જીવ તત્ત્વની ભૂલ છે, ને એ પ્રમાણે સાતે તત્ત્વની ભૂલ છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે (સૂત્રપાહુડમાં) બહુ સ્પષ્ટ કહ્યું છે કે-વસ્ત્રનો ટુકડો રાખી મુનિપણું માને-મનાવે તો નિગોદમાં જશે. આમ કેમ કહ્યું? કારણ કે એમ માનનારની મિથ્યાત્વ દશા છે, ને મિથ્યાત્વનું ફળ ક્રમે નિગોદ જ છે. અહા! છઠ્ઠા ગુણસ્થાનમાં સંત-મુનિવરને વ્યવહારના અભાવરૂપ નિર્મળ પરિણમન છે ને તે એવું ને એવું નિર્મળપણે કાયમ રહેશે.

અહા! આ અભાવ-અભાવશક્તિ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે, ને તેનું વર્તમાન વર્તમાન પરિણમન છે તે ક્ષણિક ઉપાદાન છે. તેમાં શક્તિ છે તે ત્રિકાળ પારિણામિક ભાવે છે, ને રાગરહિત તેનાં જે નિર્મળ પરિણામ છે તે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે છે. ઉદયભાવ તેમાં આવતો નથી, કેમકે ઉદયભાવના અભાવસ્વભાવે જ શક્તિનું પરિણમન હોય છે.

કેટલાક કહે છે કે-શત્રુંજયની જાત્રા કરીએ તો કલ્યાણ થઈ જાય; આ બધું સમજીને શું કામ છે? અરે ભાઈ! એમ નથી બાપુ! જાત્રા કરવાના ભાવ તો રાગ છે, ને રાગના અભાવસ્વભાવે જીવનું પરિણમન થાય તે કલ્યાણરૂપ છે; રાગને રાગનું પરિણમન કલ્યાણરૂપ નથી, વાસ્તવમાં અકલ્યાણ છે. આવી આકરી વાત! પણ આ સત્ય વાત છે.

ઉપશમનો તો થોડો કાળ છે, બાકી ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ હોય છે. ક્ષયોપશમ ને ક્ષાયિક તે પરિણતિ છે. તે અંતરમાં જાય ત્યારે પારિણામિક ભાવરૂપે થઈ જાય છે, કારણ કે વર્તમાન જે એક સમયની અવસ્થા છે તેનો બીજે જ સમયે વ્યય થઈ અંદર જાય છે. “જલ કા તરંગ જલ મેં ડૂબતા હૈ”-એમ પોતાની પર્યાય વ્યય થઈ અંદર જાય છે, ને અંદર ગઈ તે પારિણામિકભાવે થઈ જાય છે.

જે જન્મક્ષણ તે જ (પૂર્વ) પર્યાયનો નાશ ક્ષણ છે. અભાવ-અભાવશક્તિની જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે તેની જન્મક્ષણ છે. તે પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થઈ છે; તે એની કાળલબ્ધિ છે. તે પરિણમન ક્રમબદ્ધ-પોતાના સ્વ-અવસરે થયું છે.

હા, પણ તેમાં આપણે શું કરવું? ક્રમવર્તી પર્યાય ને શક્તિના ભેદનું લક્ષ છોડી, શુદ્ધ એક ચૈતન્યમાત્ર નિજ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું. એમ કરતાં