સમયસાર ગાથા-૬૨ ] [ ૧પપ
હવે, જીવનું વર્ણાદિ સાથે એટલે રંગ-રાગ-ગુણસ્થાનાદિ સાથે તાદાત્મ્ય-એકરૂપપણું છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ પ્રગટ કરે તો તેમાં દોષ આવે છે એમ ગાથા દ્વારા કહે છેઃ-
રાગાદિ, જે પુદ્ગલના પરિણામ છે તે, જો તું તારા-જીવના છે એમ માનીશ તો જીવ અને અજીવમાં કાંઈ ભેદ રહેતો નથી એમ કહે છે. આ ગાથા અને ટીકા સૂક્ષ્મ છે. અરે, આખુંય સમયસાર જ સૂક્ષ્મ છે અને એથીય સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાન આત્મા છે. ચૈતન્ય ભગવાન અનંત ગુણથી તાદાત્મ્યસ્વરૂપ મહાપ્રભુ છે. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી ધર્મની-સમ્યગ્દર્શનની શરૂઆત થાય છે. અને તે સિવાય લાખ, ક્રોડ કે અનંત દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ કરે તોપણ એથી સમ્યગ્દર્શન થતું નથી. કારણ કે એ તો બધો રાગ છે અને તે રાગને પુદ્ગલની સાથે તાદાત્મ્ય છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં રંગ-રાગ-ભેદાદિ હોય છે, પણ જ્યાં જ્યાં ભગવાન આત્મા ત્યાં ત્યાં રંગ-રાગ-ભેદાદિ હોતા નથી-એમ અહીં કહે છે. અહો! શું અલૌકિક વાત છે! તેને ધ્યાન દઈને શાંતિથી સાંભળવી.
ગુણસ્થાન આદિ ભેદો પર્યાયમાં ઉત્પન્ન થયા છે તે તેમની ઉત્પત્તિની ‘જન્મક્ષણ’ છે તેથી ઉત્પન્ન થયા છે, નિમિત્ત વડે ઉત્પન્ન થયા છે એમ નથી. એ ભેદો જીવની પર્યાયમાં પોતાથી થયા છે, પરંતુ આત્મામાં-ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં તેઓ વ્યાપતા નથી. એ રંગ, રાગ, દયા, દાન, આદિ ભાવોને પુદ્ગલની સાથે વ્યાપ્તિ છે. જ્યાં પુદ્ગલ વ્યક્ત થાય છે ત્યાં તેઓ હોય છે અને તેમાં વ્યાપે છે. જ્યાં એમ કહ્યું કે પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાયમાં થાય છે અને એનો ર્ક્તા-ભોક્તા જીવ છે ત્યાં તો એનું જ્ઞાન કરાવવા જ્ઞાનપ્રધાન કથન કર્યું છે. જ્યારે અહીં દ્રષ્ટિપ્રધાન વાત છે. અહીં દ્રષ્ટિની પ્રધાનતામાં, ચાહે દયા-દાનના ભાવ હો કે પંચમહાવ્રતના પાલનના ભાવ હો, તે બધાય પુદ્ગલની સાથે વ્યાપે છે એમ કહે છે. દિગમ્બર સંતો સિવાય આવી વાત કોઈએ કયાંય કરી નથી. અહો! દિગમ્બર સંતો કેવળીના કેડાયતો છે. ભગવાન કેવળીએ જે દિવ્યધ્વનિમાં કહ્યું છે તે વાત તેઓ જગત સમક્ષ જાહેર કરે છે. ભગવાન! એક વાર જરા ધીરજથી સાંભળ. કહે છે કે જે પુણ્ય-પાપના ભાવની પ્રગટતા-ઉત્પાદ અને નાશ- વ્યય થાય છે તે બંધુય પુદ્ગલની સાથે વ્યાપે છે. તે ઉત્પાદ-વ્યય તારી-જીવની સાથે વ્યાપતા નથી. અહા! શું સૂક્ષ્મ તત્ત્વ!
દયા, દાન, વ્રત, સ્વાધ્યાય, આદિનો રાગ; અરે, આ જે શ્રવણનો રાગ આવે છે તે રાગ પણ પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં વ્યય પામે છે. એ