कोऽसौ शुद्ध आत्मेति चित्–
एवं भणंति सुद्धं णादो जा सो दु सो चेव।।
एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव।। ६।।
હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-
એ રીત ‘શુદ્ધ’ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬
ગાથાર્થઃ– [यः तु] જે [ज्ञायकः भावः] જ્ઞાયક ભાવ છે તે [अप्रमत्तः अपि] અપ્રમત્ત પણ [न भवति] નથી અને [न प्रमत्तः] પ્રમત્ત પણ નથી, - [एवं] એ રીતે [शुद्धं] એને શુદ્ધ [भणन्ति] કહે છે; [च यः] વળી જે [ज्ञातः] જ્ઞાયક પણે જણાયો [सः तु] તે તો [सः एव] તે જ છે, બીજો કોઈ નથી.
ટીકાઃ– જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે