Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 958 of 4199

 

૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

નથી. શરીરનો કર્તા અને શરીરનો ભોક્તા તું નથી. એવી જ રીતે કર્મનો કર્તા-ભોક્તા પણ તું નથી. તથા કર્મની પર્યાય તારા (આત્માનાા) વિકારી પરિણમની કર્તા અને ભોક્તા નથી. કર્મની પર્યાય ભાવક અને આત્માનો વિકાર ભાવ ભાવ્ય-એમ નથી. અહો! આવો વીતરાગનો માર્ગ ભગવાન સર્વજ્ઞદેવથી સિદ્ધ થયેલો છે. જેના મતમાં સર્વજ્ઞ નથી તેમાં ધર્મ નથી. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.

પ્રવચનસાર ગાથા ૮૦ માં કહ્યું છે કે- જે કોઈ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અહાહા..! સર્વજ્ઞ ભગવાનને કેવળજ્ઞાન છે એવો નિર્ણય કરનારી પર્યાય પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઝૂકી જાય છે અને ત્યાં પોતાના દર્શનમોહનો ક્ષય થઈ જાય છે અને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે. આવો સર્વજ્ઞનો માર્ગ છે. જેનામાં સર્વજ્ઞ નથી એમાં ધર્મ સંભવિત નથી.

અહીં કહે છે કે સંસારસહિત અથવા સંસારરહિત દશામાં પરનો ભોક્તા આત્મા નથી. સંસારદશામાં પોતાના રાગનો ભોક્તા છે અને નિઃસંસાર દશામાં પોતાની નિર્વિકલ્પ નિર્મળ અનુભૂતિનો ભોક્તા છે. પરંતુ કોઈ અવસ્થામાં પરનો ભોક્તા નથી. અજ્ઞાનભાવે પણ પરનો ભોક્તા નથી.

દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એમ બે ધર્મો સ્વતંત્ર સિદ્ધ કરવા હોય ત્યારે એમ આવે દ્રવ્ય અનુભૂતિની પર્યાયને પણ કરતું નથી. ધ્રુવ ત્રિકાળી છે તે ઉત્પાદ-વ્યય કરતું નથી. જ્યારે અહીં તો પરનો ભોક્તા નથી પરંતુ પોતાના રાગનો ભોક્તા અથવા અનુભૂતિની પર્યાય ભોક્તા આત્મા છે એમ સિદ્ધ કરવું છે. ભગવાન! તારી અનુભૂતિનો તું ભોક્તા છે પણ કર્મ અને શરીરનો તું ભોક્તા નથી.

દ્રષ્ટિ અપેક્ષાએ અનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવો જ્ઞાની રાગનો ભોક્તા નથી. તથાપિ અલ્પકાળમાં જેમને કેવળજ્ઞાન થવાનું છે એવા ભાવલિંગી સંત છઠ્ઠ ગુણસ્થાને હોય ત્યારે જાણે છે કે જેટલું રાગનું પરિણમન થઈ રહ્યું છે તેનો કર્તા અને ભોક્તા હું પોતે છું; પણ પરનો હું કર્તા કે ભોક્તા નથી. સંસાર સહિત અથવા સંસાર રહિત અવસ્થામાં પોતાને એકને જ અનુભવનો પ્રતિભાસો, અન્યને એટલે કર્મ આદિને અનુભવતો ન પ્રતિભાસો એમ અહીં એમ અહીં કહે છે. આવો સૂક્ષ્મ ગંભીર માર્ગ છે. એની ગંભીરતા ભાસે નહિ તો ધર્મ કેમ થાય? ન થાય.

કર્મપ્રકૃતિના બંધના ચાર ભેદ આવે છે- પ્રકૃતિ બંધ, પ્રદેશ, બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ; પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા, સ્થિતિ નામ કાળની મુદત અને અનુભાવ એટલે ફળ દેવાન શક્તિ ભાઈ! અનંદ અને દુઃખ તે કર્મનું ફળ છે એમ નથી.

પ્રશ્નઃ– विपाको अनुभवः એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને?