Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 544

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા ‘વસ્તુ’ અધિકારના ત્રીજા પ્રાભૃતનું જ્ઞાન
હતું. તે જ્ઞાનમાંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ઘાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન
મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે
પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય
શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ઘદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ઘ
સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈનપરંપરામાં
ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. ‘मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं
कुं दकुं दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। એ શ્લોક દરેક દિગંબર જૈન શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં
મંગળાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ઘ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને
ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર
જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન
કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત
્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના
પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ઘ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું
પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં
શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં
તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ઘાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો
છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં
કહે
છે કે ‘‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર સીમંધરસ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદિનાથે
(કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને
કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ
કહેવામાં આવ્યા છેઃ ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય
પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલવાની જેમને ૠદ્ઘિ હતી, જેમણે
પૂર્વવિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે
જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના
આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે રચેલા આ ષટ્પ્રાભૃત ગ્રંથમાં.........
સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આમ ષટ્પ્રાભૃતની શ્રી
શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા
અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે;
શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે
જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે.
૧. મૂળ શ્લોક માટે ૧૪મું પાનું જુઓ.
૨. શિલાલેખોના નમૂના માટે ૧૩મું પાનું જુઓ.
[ 6 ]