Pravachansar (Gujarati). Gnan Gney VibhAg Adhikar Gatha: 145.

< Previous Page   Next Page >


Page 288 of 513
PDF/HTML Page 319 of 544

 

૨૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

सपदेसेहिं समग्गो लोगो अट्ठेहिं णिट्ठिदो णिच्चो जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंबद्धो ।।१४५।।

सप्रदेशैः समग्रो लोकोऽर्थैर्निष्ठितो नित्यः
यस्तं जानाति जीवः प्राणचतुष्काभिसम्बद्धः ।।१४५।।

एवमाकाशपदार्थादाकालपदार्थाच्च समस्तैरेव संभावितप्रदेशसद्भावैः पदार्थैः समग्र एव यः समाप्तिं नीतो लोकस्तं खलु तदन्तःपातित्वेऽप्यचिन्त्यस्वपरपरिच्छेदशक्तिसंपदा जीव एव जानीते, नत्वितरः एवं शेषद्रव्याणि ज्ञेयमेव, जीवद्रव्यं तु ज्ञेयं ज्ञानं चेति ज्ञान- ज्ञेयविभागः अथास्य जीवस्य सहजविजृम्भितानन्तज्ञानशक्तिहेतुके त्रिसमयावस्थायित्वलक्षणे वि भविया तं जाणह सम्ममाहप्पं’’ ।।१४४।। एवं निश्चयकालव्याख्यानमुख्यत्वेनाष्टमस्थले गाथात्रयं गतम् इति पूर्वोक्तप्रकारेण ‘दव्वं जीवमजीवं’ इत्याद्येकोनविंशतिगाथाभिः स्थलाष्टकेन विशेष- ज्ञेयाधिकारः समाप्तः ।। अतः परं शुद्धजीवस्य द्रव्यभावप्राणैः सह भेदनिमित्तं ‘सपदेसेहिं समग्गो’

સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે;
તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે.૧૪૫.

અન્વયાર્થઃ[सप्रदेशैः अर्थैः] સપ્રદેશ પદાર્થો વડે [निष्ठितः] સમાપ્તિ પામેલો [समग्रः लोकः] આખો લોક [नित्यः] નિત્ય છે. [तं] તેને [यः जानाति] જે જાણે છે [जीवः] તે જીવ છે[प्राणचतुष्काभिसंबद्धः] કે જે (સંસારદશામાં) ચાર પ્રાણોથી સંયુક્ત છે.

ટીકાઃએ પ્રમાણે, પ્રદેશનો સદ્ભાવ જેમને ફલિત થયો છે એવા જે આકાશપદાર્થથી માંડીને કાળપદાર્થ સુધીના બધાય પદાર્થો તેમના વડે સમાપ્તિ પામેલો જે આખોય લોક, તેને ખરેખર તેમાં અંતઃપાતી હોવા છતાં અચિંત્ય એવી સ્વ -પરને જાણવાની શક્તિરૂપ સંપદા વડે જીવ જ જાણે છે, પરંતુ બીજું કોઈ જાણતું નથી. એ રીતે બાકીનાં દ્રવ્યો જ્ઞેય જ છે અને જીવદ્રવ્ય તો જ્ઞેય તેમ જ જ્ઞાન છે;આમ જ્ઞાન અને જ્ઞેયનો વિભાગ છે.

હવે આ જીવને, સહજપણે પ્રગટ (સ્વભાવથી જ પ્રગટ) એવી અનંતજ્ઞાનશક્તિ જેનો હેતુ છે અને ત્રણે કાળે અવસ્થાયીપણું (ટકવાપણું) જેનું લક્ષણ છે એવું, વસ્તુના સ્વરૂપભૂત ૧. છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાન્ત બીજું કાંઈ લોકમાં નથી. ૨. અંતઃપાતી = અંદર આવી જતો; અંદર સમાઈ જતો. (જીવ લોકની અંદર આવી જાય છે.)