Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 3 dharmnu lakshaN.

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૭

द्रष्टिश्च तत्त्वार्थश्रद्धानं, ज्ञानं च तत्त्वार्थप्रतिपत्तिः वृत्तं चारित्रं पापक्रियानिवृत्तिलक्षणं सन्ति समीचीनानि च तानि द्रष्टिज्ञानवृत्तानि च ‘धर्मं’ उक्तस्वरूपं ‘विदुः’ वदन्ति प्रतिपादयन्ते के ते ? ‘धर्मेश्वराः’ रत्नत्रयलक्षणधर्मस्य ईश्वरा अनुष्ठातृत्वेन प्रतिपादकत्वेन च स्वामिनो जिननाथाः कुतस्तान्येव धर्मो न पुनर्मिथ्यादर्शनादीन्यपीत्याहयदीयेत्यादि येषां सद्दृष्टयादीनां सम्बन्धीनि यदीयानि तानि च तानि प्रत्यनीकानि च प्रतिकूलानि मिथ्यादर्शनादीनि ‘भवन्ति’ सम्पद्यन्ते का ? ‘भवपद्धतिः’ संसारमार्गः अयमर्थःयतः सम्यग्दर्शनादिप्रतिपक्षभूतानि मिथ्यादर्शनादीनि संसारमार्गभूतानि अतः सम्यग्दर्शनादीनि

(ધાર્મનું લક્ષણ)
શ્લોક ૩

અન્વયાર્થ :[धर्मेश्वराः ] ધર્મના પ્રતિપાદક તીર્થંકરદેવ [सद्दृष्टिज्ञानवृत्तानि ] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રને (ત્રણેયની એકતાને) [धर्मं ] ધર્મ [विदुः ] કહે છે. [यदीयप्रत्यनीकानि ] તેનાથી (સમ્યગ્દર્શનાદિથી) જે વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે તે [भवपद्धतिः ] સંસાર - પરિભ્રમણનું કારણ [भवन्ति ] છે.

ટીકા :दृष्टि’ એટલે તત્ત્વાર્થશ્રદ્ધાન ( - તત્ત્વ - સ્વરૂપસહિત અર્થનું - જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન, ज्ञानं’ એટલે તત્ત્વાર્થપ્રતિપત્તિતત્ત્વાર્થની પ્રતિપત્તિતત્ત્વાર્થનું જ્ઞાન અને वृत्तं’ એટલે પાપક્રિયાઓથી નિવૃત્તિરૂપ ચારિત્ર. તે અર્થાત્ દર્શન - જ્ઞાન - ચારિત્ર ત્રણે સમીચીન - સમ્યગ્ છે. धर्मं’ ઉક્ત સ્વરૂપવાળાં દર્શન - જ્ઞાન - ચારિત્રને ધર્મ विदुः’ કહે છે. કોણ કહે છે? धर्मेश्वराः’ રત્નત્રયસ્વરૂપ ધર્મના ઈશ્વર અર્થાત્ તેનું આચરણ કરનાર અને તેનો ઉપદેશ કરનાર સ્વામી જિનનાથ (ભગવાન જિનેન્દ્રદેવ). શા કારણે તે જ (સમ્યગ્દર્શનાદિ જ) ધર્મ છે અને મિથ્યાદર્શનાદિ ધર્મ નથી? તે કહે છેयदीयेत्यादि’ કારણ કે જે કાંઈ સમ્યગ્દર્શનાદિ છે તેનાથી તે પ્રતિકૂલ (વિપરીત) મિથ્યાદર્શનાદિ भवन्ति’ છે. का’ તે શું છે? भवपद्धतिः’ તે સંસારનો માર્ગ છે. તેનો આ અર્થ છેઃ

કારણ કે સમ્યગ્દર્શનાદિનાં પ્રતિપક્ષરૂપ જે મિથ્યાદર્શનાદિ છે તે સંસારના માર્ગભૂત १. प्रमाणैः प्रसिद्धान्यतः कारणात् ख० प्रसिद्धान्यतः सम्यग्दर्शनादीन्यपवर्गसुख घ०