Samaysar (Gujarati). Kalash: 230.

< Previous Page   Next Page >


Page 552 of 642
PDF/HTML Page 583 of 673

 

૫૫૨

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति
(आर्या)
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ।।२३०।।

नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १ नाहं [त्रैकालिकं समस्तम् कर्म] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [अपास्य] દૂર કરીનેછોડીને, [शुद्धनय -

अवलम्बी] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [विलीन - मोहः] વિલીનમોહ

(અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [अथ] હવે [विकारैः रहितं चिन्मात्रम् आत्मानम्] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [अवलम्बे] અવલંબું છું. ૨૨૯.

હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ

(ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય - અર્થનું કાવ્ય કહે છેઃ)

શ્લોકાર્થઃ(સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે) [कर्म-विष-तरु- फलानि] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [मम भुक्तिम् अन्तरेण एव] મારા ભોગવ્યા વિના જ [विगलन्तु] ખરી જાઓ; [अहम् चैतन्य - आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છુંઅનુભવું છું.

ભાવાર્થઃજ્ઞાની કહે છે કેજે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા -દ્રષ્ટાપણે જાણું - દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર - જાણનાર જ હોઉં.

અહીં એટલું વિશેષ જાણવું કેઅવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન - શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩૦.

(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ)

હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું. (અહીં ‘ચેતવું’ એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. ‘સં’ ઉપસર્ગ લાગવાથી, ‘સંચેતવું’ એટલે ‘એકાગ્રપણે અનુભવવું’ એવો અર્થ અહીં