Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 181 of 237
PDF/HTML Page 194 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૮૧
આ રીતે એકલા જ્ઞાયકભાવરુપે થયેલો અને એ
જ્ઞાયકભાવની અંદર ચૈતન્યના સુખ – શાંતિ વગેરે બીજા
અનંતભાવોને સમાવેલો હું પોતે સ્વયં સુખી છું. અને જગતથી,
જગતસંબંધી દુઃખોથી, રાગદ્વેષના ભાવોથી તો હું અત્યંત દૂરદૂર
થયો છું, એનાથી હું છૂટો પડયો છું, મારી પરિણતિનું પરિણમન એ
દુઃખરુપ હવે થતું નથી; મારી ચેતના હવે સ્વયં સુખરુપે પરિણમે
છે, તે દુઃખરુપે થતી નથી, તે પરભાવોને કરતી નથી, જગત સાથે
સંબંધ ધરાવતી નથી; જગતથી અત્યંત દૂર, અત્યંત અલિપ્ત એવી
મારી ચૈતન્યમય ચેતના, તે મારી અનુભૂતિમાં જ સમાય છે, અને
હું પણ તે ચેતનામાં જ સમાઉં છું. આમ પરમ ચેતનસ્વરુપે થયેલો
હું હવે પરમ સુખી છું, મોક્ષનો સાધક છું; હું હવે મહાવીરનાથનો
સાચો અનુયાયી છું અને એક રીતે કહીએ તો હું નાનકડો મહાવીર
છું. – (જિનેશ્વરકે લઘુનંદન)
ગી ર ના ર ધા મ માં.....
અહીં સુધીની રચના વવાણીયામાં થઈ છે, કેટલીક રચના
સોનગઢમાં થઈ છે. હવે પદ નં. ૩૬ થી શરુ કરીને જે રચના થઈ
છે તે રચના પરમ સિદ્ધક્ષેત્ર ગીરનારધામમાં થયેલી છે. ગીરનારમાં
જઈને લગભગ એકમાસ રહેલ, તે વખતે જેઠ સુદ ત્રીજ
લગભગમાં આ રચના થયેલી છે.
અહો ગીરનાર સિદ્ધક્ષેત્ર! ચૈતન્યની સાધનાનું ક્ષેત્ર, નેમનાથ
ભગવાને પરમ વૈરાગ્યથી જ્યાં આત્માને સાધ્યો; જ્યાં મુનિદશા
છઠ્ઠું – સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ પરમ ચૈતન્યઅનુભૂતિ પ્રગટ
કરી, જ્યાં મનઃપર્યયજ્ઞાન પ્રગટ કર્યું; ત્યારપછી અનેક વિહાર