Samyak Darshan Part 7 8 (Gujarati). Gurudev Arpan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 250

 

background image
ૐ આશીર્વાદ
પૂ. શ્રી કહાનગુરુએ ૪૦ વર્ષ પહેલાં લેખિત
‘આશીર્વાદ’ આપ્યા હતા...સ્વહસ્તે લખેલા આશીર્વાદ
જીવનમાં તેઓશ્રીએ બ્ર. હરિભાઈને જ આપેલા છે... અને
પરમ પ્રસન્નતા સાથે તે સફળ થયા છે. – ધન્ય ગુરુઉપકાર.
સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે ત્રણ જગતની માંય,
સર્વ પ્રકાર ઉદ્યમ વડે સેવો એ સુખદાય.
સમ્યક્ – રત્ન ઉપાસવા ધર્માત્માનો સંગ,
આરાધન કરતાં અહો! લાગે આતમ રંગ.
ચૈતન્ય – રત્ન જ સાર છે શ્રુતસમુદ્ર મોઝાર,
આનંદથી અનુભવ કરી શીઘ્ર લહો ભવપાર.
શ્રી ગુરુઓના પ્રસાદથી પ્રાપ્ત સમ્યક્ત્વના ભાવોને
આ પુસ્તકરુપે ગૂંથીને સાધર્મી જનોના હાથમાં
પ્રસન્નતાપૂર્વક અર્પણ કરું છું.
(અષાડ વદ : ૭) – હરિ