Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA Regd. No. B. 4787
૨૫
વત્થુ સહાવો ધમ્મો.
૨૬
સંસારના વિષવૃક્ષને ક્ષણમાત્રમાં
ક્ષય કરાવનાર મહાસુખ સાગરનો
સમ્યક્માર્ગ પ્રાપ્ત કરાવનાર, અતુલ
મહિમાના ધારી એવા શ્રી ગુરુદેવના
ચરણકમળમાં પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર.
૨૭
દર્શનશુદ્ધિથી જ
આત્મસિદ્ધિ.
૨૮
જેમના જ્ઞાન સરોવરમાં સર્વ વિશ્વ
માત્ર કમળ તુલ્ય ભાસે છે એવા
ભગવાન શ્રી સીમંધર આદિ
જિનેંદ્રદેવોને નમસ્કાર! નમસ્કાર!!
૨૯
જેઓ સ્વરૂપનગર વસતા કાળ સાદિ
અનંત,
ભાવે ધ્યાવે અવિચળપણે જેહને
સાધુસંત;
જેહની સેવા સુરમણીપરે સૌખ્ય
આપે અનંત,
નિત્યે મ્હારા હૃદય કમલે આવજો શ્રી
જિનેંદ્ર.
૩૦
ભૂત, વર્તમાન અને ભાવિ
જગતશિરોમણિ તીર્થંકરોને
નમસ્કાર.
૩૧
स द्ध र्म वृ द्धि र स्तु.
स त् नी वृ द्धि हो.
૩૨
શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે
જે સુપ્રભાત સમાન છે, આનંદમાં
સુસ્થિત એવી અચળ જેની જ્યોતિ છે
એવો આ આત્મા ઉદય પામે છે,
એવું જ્ઞાન તથા વચન તેમય
મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો!
૩૩
જેમાં અનેક અંત (ધર્મ) છે.
એવું જે જ્ઞાન તથા વચન
તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો!
૩૪
સ્વરૂપસ્થિત સદ્ગુરુદેવનો
પ્રભાવના ઉદય જગતનું
કલ્યાણ કરો! જયવંત વર્તો!!
૩૫
એ જીવ કેમ ગ્રહાય?
જીવ ગ્રહાય છે પ્રજ્ઞાવડે,
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો
ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞાવડે.
૩૬
પાત્ર થવા સેવો સદા
બ્રહ્મચર્ય મતિમાન.
સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાણિ
મોક્ષમાર્ગ:
આત્મધર્મની ઉન્નતિ હો! ઉન્નતિ હો!!
૩૭
દુર્લભ મનુષ્યપણું પામીને
જે વિષયોમાં રમે છે તે
રાખને માટે રત્નને બાળે છે.
૩૮
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે,
મુજ આત્મ દર્શન ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને,
મુજ આત્મ સંવર યોગ છે.
૩૯
પુર્ણતાને લક્ષે શરૂઆત
તે જ વાસ્તવિક શરૂઆત છે.
૪૦
આ ભેદવિજ્ઞાન અચ્છિનધારાથી
ત્યાંસુધી ભાવવું કે જ્યાંસુધી
પરભાવોથી
છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.
૪૧
આ સમયપ્રાભૃત પઠન કરીને,
અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે,
સૌખ્ય ઉત્તમ તે થશે.
૪૨
જીવ એક અખંડ સંપૂર્ણ
દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન–
સામર્થ્ય સંપૂર્ણ છે.
સંપૂર્ણ વીતરાગ થાય
સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
૪૩
સહજપણે વિકાસ પામતી ચૈતન્ય–
શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનધન
સ્વભાવ થતો જાય છે તેમ તેમ
આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
૪૪
નિમિત્તની અપેક્ષા લ્યો તો
બંધ અને મોક્ષ બે પડખાં પડે છે
ને તેની અપેક્ષા ન લ્યો તો
–એકલું નિરપેક્ષ તત્ત્વ લક્ષમાં
લ્યો તો–સ્વપર્યાય પ્રગટે છે.
૪૫
જે આત્માને અબદ્ધસ્પષ્ટ,
અનન્ય, નિયત, અવિશેષ અને
અણસંયુક્ત દેખે છે તે સમગ્ર
જિનશાસનને દેખે છે.
૪૬
હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું,
વિકલ્પનો એક અંશ પણ
મારો નથી, તેવો સ્વાશ્રયભાવ
રહે તે મુક્તિનું કારણ છે ને
વિકલ્પનો એક અંશ પણ મને
આશ્રયરુપ છે તેવો પરાશ્રયભાવ
રહે તે બંધનું કારણ છે.
૪૭
તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ
અમને હો કે જે તેજ
સદાકાળ ચૈતન્યના
પરિણમનથી ભરેલું છે.
૪૮
दंसण मूलो धम्मो
ધર્મનું મૂળ દર્શન છે.