Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
૨૦૦૦: શ્રાવણ: આત્મધર્મ : ૧૫૯:
(૩) એક વસ્તુમાં બીજી વસ્તુના નહિ હોવાપણાને અભાવ કહે છે. જેમકે જીવમાં કર્મ નથી (પુદ્ગલ
નથી) એટલે જીવમાં પુદ્ગલનો અભાવ છે, અને પુદ્ગલમાં જીવનો અભાવ છે.
જીવ એક નથી, પરંતુ અનંતા અનંત જીવો છે. સિદ્ધ જીવો પણ અનંત છે.
(૪) જેમાં ચેતના હોય તે જીવ એટલે જીવ ચેતનાથી (જ્ઞાનથી) ઓળખાય. જેમાં જ્ઞાન ન હોય તે અજીવ.
પુદ્ગલ છે તે અજીવ છે, પરંતુ તેમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ છે. જ્યારે પુદ્ગલ સિવાયના બીજા
અજીવોમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી.
ઉત્તર–૪
(૧) વ્યવહાર નયથી આત્મા કર્મનો કર્તા છે, અને અશુદ્ધ નિશ્ચય નયથી પોતાના વિકારી ભાવનો કર્તા છે.
(૨) શુભ અને અશુભ પરિણામને ટાળવાથી મોક્ષ થાય છે.
(૩) પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા તે સમ્યકત્વ છે. (૪) પરમાર્થે સર્વ જીવ અસંગ છે.
(પ) સુખ ગુણ આત્મ દ્રવ્યનો છે.
(૬) પરમાર્થને પ્રેરે તે વ્યવહાર સમંત કરવા યોગ્ય છે.
(૭) શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે.
(૮) જે જીવ સમવસરણને જિનનું વર્ણન સમજે, અને દેવ વગેરે ગતિઓનાં ભાગોના જ્ઞાનને શ્રુત જ્ઞાન
સમજે તે જીવ મતાર્થી કહેવાય.
મહાસાગરનાં મોતી (ગતાંકથી ચાલુ)
૨૭. કોઈ પર દ્રવ્યની અવસ્થા હું કરી શકતો નથી, તેવી માન્યતા કરે તો અનંતી શાંતિ આવી જાય.
૨૮. દ્રષ્ટિનો વિષય અભેદ–અબંધ–અખંડ દ્રવ્ય છે. તે પર્યાય વિકલ્પ કે નિમિત્તને સ્વીકારતી નથી.
૨૯. પંચ મહાવ્રતાદિના પાલનનો શુભભાવ પણ ચારિત્ર–વીતરાગ ભાવમાં ઝેર છે, કારણ કે તે અમૃત
આત્મામાં બાધક છે; મોક્ષમાં વિઘ્નરૂપ છે.
૩૦. સમ્યગ્દ્રષ્ટિનો ભવ બગડે નહિ ને ભવ વધે નહિ.
૩૧. વાણી પરનું પરિણમન છે, તેમ નહિ માનતાં હું બોલી શકું છું, એટલે કે પરનું પરિણમન મારાથી થય
છે એ જ મિથ્યાદર્શન શલ્ય–અનંતુ પાપ–છે. વાણી બોલવાના ભાવ જેવડો (વિકારી ભાવવાળો) જ હું છું એવી
માન્યતા થઈ એટલે અવિકારી શુદ્ધ સ્વભાવનો અનાદર થયો, એ જ અનંતી હિંસા છે.
(વિશેષ હવે પછી)
ભદ્રપદ
સુદ ૨ રવિ ૨૦ ઓગસ્ટ સુદ ૨ સોમ ૪ સપ્ટેમ્બર
,, ૫ બુધ ૨૩ ,, ,, પ ગુરુ ૭ ,,
,, ૮ રવિ ૨૭ ,, ,, ૮ રવિ ૧૧ ,,
૧૧ બુધ ૩૦ ,, ,, ૧૧ બુધ ૧૩ ,,
,, ૧૪ શુક્ર ૧ સપ્ટેમ્બર ,, ૧૪ શનિ ૧૬ ,,
,, ૧૫ શનિ ૨ ,, ,, ૦)) રવિ ૧૭ ,,
પ્રભાવના
શ્રી. જેઠાલાલ સંઘજી શાહ (બોટાદ) તરફથી રૂા. ૨૫૦/– [આત્મધર્મ માસિકની ૧૦૦ નકલ બાર
મહિના માટે સદ્ધર્મના પ્રચારાર્થે મોકલવા] મળ્‌યા છે. તેમજ શ્રી. ચંદુભાઈ શીવલાલ (અમદાવાદ)
તરફથી રૂા. ૧૨૫/– [આત્મધર્મ માસિકની ૫૦ નકલ બાર મહિના માટે મોકલવા] મળ્‌યા છે, જે
સાભાર સ્વીકાર્યા છે.
પર્યુષણ અંક આવતો અંક ‘પર્યુષણ’ અંક તરીકે પ્રગટ કરવાનું નક્કી થયું છે. અને આત્મધર્મનું પહેલું વર્ષ આસો મહિને પૂરું કરી બીજું વર્ષ કારતક મહિનાથી શરુ કરવાનું છે. એટલે ૧૦ અને ૧૧ અંક પર્યુષણ
ઉપર સાથે જ પ્રગટ થશે. અને બારમો અંક આસો સુદ બીજે પ્રગટ કરવામાં આવશે.
સુચના આત્મધર્મ અંગેનો તમામ પત્ર વ્યવહાર મોટા આંકડિયા જ કરવાનો છે. સરનામામાં ફેરફાર કે બીજી કોઈ ફરિયાદ કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખવો. ગ્રાહક નંબર વગરના એવા પત્રોનો
અમલ કરવામાં ખૂબ તકલિફ પડે છે.
સમાચાર શ્રી દ્રવ્યસંગ્રહ (ગુજરાતી) પ્રગટ થઈ ચૂકયું છે. કિંમત સ્થાનિક ૦–૭–૦ બહારગામ માટે ૦–૮–૩
રાખવામાં આવી છે.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા કાઠિયાવાડ. તા. ૧૫–૭–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ, મોટા આંકડિયા કાઠિયાવાડ.