Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૧૫૮ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
અર્થ:– આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ જ્ઞાન છે તે જ્ઞાન સિવાય બીજું શું કરી શકે? પરભાવોનો કર્તા
આત્મા છે એમ માનવું [અગર કહેવું] તે વ્યવહારી [અજ્ઞાની] લોકોનો મોહભાવ–મૂઢભાવ છે.
(ગ) આત્માની સાથે જે દેહ રહેલો છે તે એક સ્થાને ભેગો છે વળી તે જડ છે, એટલે કે એમાં જાણવાની
શક્તિ નથી. તે રૂપી છે અને દેખાય એવો છે તે તો સંયોગે કરીને ઉત્પન્ન થએલો છે, તો ચેતન એટલે કે આત્મા
ઉત્પન્ન થાય છે અગર નાશ થાય છે એ કોણ જાણે છે? અને અમુક વસ્તુ નાશ થઈ, આ દેહ નાશ થયો, અગર
ઉત્પન્ન થયો એવું જ્ઞાન કરવાવાળો આત્મા તે દેહથી જુદાં વિના જ્ઞાન થાય નહિ, અને જગતની અંદર જે જે
સંયોગો થાય છે, તે આત્માના અનુભવમાં આવવા યોગ્ય છે, એમાં એક પણ સંયોગ એવો નથી કે જેથી આત્માની
ઉત્પત્તિ થાય માટે તે નિત્ય છે. વળી જડ વસ્તુમાંથી ચૈતન્ય પદાર્થની ઉત્પત્તિ થઈ અગર ચૈતન્યમાંથી જડ પદાર્થની
ઉત્પત્તિ થઈ એવો અનુભવ કોઈને કોઈપણ કાળે થતો નથી. આત્માની ઉત્પત્તિ કોઈપણ સંયોગથી થઈ નથી માટે.
તેનો નાશ પણ કોઈ સંયોગોમાં થાય નહિ માટે આત્મા નિત્ય છે. સર્પ વગેરે પ્રાણીઓમાં ક્રોધ વગેરેનું ઓછા
વધતાપણું હોય છે, અને પૂર્વ જન્મના સંસ્કાર પ્રમાણે છે, માટે પૂર્વ જન્મ પણ હતો અને નિત્ય હતો માટે પૂર્વ જન્મ
હતો એટલે કે આત્મા નિત્ય છે, આત્મા દ્રવ્યપણે વસ્તુપણે નિત્ય ત્રિકાળ રહેવાવાળો છે, પરંતુ તેની પર્યાયો–
અવસ્થાઓ બદલ્યા કરે છે, કારણ બાળક યુવાન તથા વૃદ્ધાવસ્થાનું જ્ઞાન આત્માને છે. વળી પ્રથમ ગાથામાં શિષ્ય
સદ્ગુરુને વંદન કરે છે એમાં પણ કહે છે કે ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત’ એટલે કે આત્મ સ્વરૂપ
સમજ્યા વિના હું ભૂતકાળે અનંત દુઃખ પામ્યો છું, એટલે પણ સિદ્ધ થાય છે કે તે નિત્ય છે. વળી કોઈ પણ વસ્તુનો–
પદાર્થનો તદન નાશ હોય જ નહિ માત્ર અવસ્થાંતર જ થાય છે. અને ચેતન એટલે કે આત્મા નાશ પામે તો તે કેમાં
ભળી જાય? એક પણ વસ્તુ એવી નહિ મળે કે જેમાં ચેતનનો નાશ થાય માટે આત્મા નિત્ય છે.
(ઘ) પોતાનું જ્ઞાન પ્રગટાવવા માટે આત્મામાં થતા ક્રોધ, માન, માયા, લોભને પાતળા પાડવા જોઈએ
અને માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ પણ અભિલાષા હોવી જોઈએ નહિ, ભવ પ્રત્યે અનાસક્તિ એટલે વૈરાગ્ય
ઉત્પન્ન થવો જોઈએ અને સર્વપ્રાણી માત્ર (સ્વ તથા પર) પર દયા વસવી જોઈએ.
આવી પાત્રતા આવ્યા પછી પોતાની અંદર સદ્ગુરુદેવનો બોધ શોભી ઉઠે એટલે કે પરિણામ પામે અને
તે બોધને બહુ સારી અને સુખ દેવાવાળી વિચારણા ઉત્પન્ન થાય છે. અને જ્યાં એવી સારી વિચારણા ઉત્પન્ન
થાય ત્યાં પોતાનું એટલે કે આત્માનું સાચું જ્ઞાન ઉત્પન્ન થાય કે જે જ્ઞાનથી મોહનો નાશ કરી મોક્ષ પદ પમાય.
ઉત્તર–૨
(૧) જે સર્વ દ્રવ્યમાં વ્યાપે તેને સામાન્ય ગુણ કહે છે, પરંતુ તેમાં મુખ્ય છ છે.
અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ, પ્રમેયત્વ, અને પ્રદેશત્વ.
(૨) જ્ઞાનના ભેદ આઠ, દર્શનના ભેદ ચાર. જ્ઞાનના ભેદ:–કુમતિ, કુશ્રુત, કુઅવધિ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,
અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન.
દર્શનના ભેદ:–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન.
(૩) પ્રમેયત્વ ગુણને લીધે પોતાનો આત્મા પોતાને જણાય. દરેક વસ્તુમાં અગુરુલઘુત્વ ગુણ છે એટલે
એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય.
(૪) પુદ્ગલના નાનામાં નાનાં ભાગને પરમાણુ કહે છે (૧) આકાશના જેટલા ભાગને એક પુદ્ગલ
પરમાણુ રોકે તેટલા ભાગને પ્રદેશ કહે છે. (૨) બાહ્ય અને અભ્યંતર ક્રિયાના નિષેધથી પ્રગટતી આત્માની શુદ્ધિ
વિશેષને ચારિત્ર કહે છે. (૩)
ઉત્તર–૩
(૧) પંચ પરમેષ્ટીમાં દેવ બે. ૧ અરિહંત ૨ સિદ્ધ અને તેમનું લક્ષણ વીતરાગતા અને સર્વજ્ઞપણું છે.
લોકોને સાચું સુખ પામવા તીર્થંકરને ઉપદેશ દેવાની ઈચ્છા થાય નહીં, કારણ કે તે રાગ વિનાના છે. ઈચ્છાનો તો
તેમણે નાશ જ કર્યો છે.
(૨) વ્યવહાર નયથી ગતિ ચાર છે. ૧ દેવ ૨ મનુષ્ય ૩ તિર્યંચ ૪ નારકી
લોકોના હિત માટે સિદ્ધ ભગવાન અવતાર લે નહિ કારણ તે તો વીતરાગ છે. મોક્ષની અંદર બધા આત્મા
જુદા છે ક્યાંયેથી પણ એક ન થાય, કારણ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુત્વનો ગુણ રહેલો છે.