Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
૨૦૦૦: શ્રાવણ: આત્મધર્મ : ૧૫૭:
શાશ્વત સુખના ઈચ્છનારે આ પરીક્ષામાં પાસ થવું જોઈશે.
સાચી પરીક્ષા
[શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગ સોનગઢ, તા. ૩૧–૫–૪૪ ના રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
અને તેના શ્રી ન્યાલચંદ લક્ષ્મીચંદ મૂળી વાળાએ આપેલા ઉત્તર નીચે પ્રમાણે છે. સમય ૯–૧૫ થી ૧૧–૦ સુધીનો
હતો, પેપર ૫૦ માર્કસનો હતો. ભાઈશ્રી ન્યાલચંદે સંપૂર્ણ સાચા જવાબો લખી પૂરા પચાસ માર્કસ મેળવ્યા
હતા.
]
સમય: સવારના ૯–૧૫ થી ૧૧ તા. (૩૧–૫–૪૪)
પ્ર. ૧. (ક) વ્હેલા ઉઠીને સ્મરણ કરવા યોગ્ય એવું કોઈ પણ સ્તુતિનું એક પદ લખો.
(ખ) આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એવા આશયનો એક શ્લોક અર્થ સહિત લખો.
(ગ) આત્મા નિત્ય છે તેની સિદ્ધિ કરો.
(ઘ) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના આધારે નિજજ્ઞાન પ્રગટાવની રીત લખો.
પ્ર. ૨. નીચેના પ્રશ્નોમાંથી ગમે તે ચારના જવાબ લખો.
(૧) પર્યાય એટલે શું? વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય એટલે શું? તે દાખલા સહિત સમજાવો.
(૨) સામાન્ય ગુણ કોને કહે છે? મુખ્ય સામાન્ય ગુણો કેટલા છે? તેના નામ લખો.
(૩) જ્ઞાનના અને દર્શનના ભેદ કેટલા છે? તેના નામ આપો.
(૪) કયા ગુણને લીધે પોતાનો આત્મા પોતાને જણાય. વસ્તુમાં એવો ક્યો ગુણ છે કે જેથી એક ગુણ
બીજા ગુણ રૂપે થતો નથી?
(પ) નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:–
પરમાણુ, પ્રદેશ, ચારિત્ર.
(૬) સદ્ગુરુ કયા લક્ષણે ઓળખાય?
પ્ર. ૩. નીચેમાંથી ગમે તે ચારના જવાબ આપો.
(૧) પંચ પરમેષ્ટીમાં દેવ કેટલા છે? તે દેવનું લક્ષણ શું? લોકો સાચું સુખ પામે તે માટે તીર્થંકર દેવને
ઉપદેશ આપવાની ઈચ્છા હોય કે નહિ?
(૨) વ્યવહાર નયથી ગતિ કેટલી છે? લોકોના હિત માટે સિદ્ધ ભગવાન અવતાર લે કે નહિ તે
સમજાવો. મોક્ષમાં બધા આત્મા એક થઈ જાય કે નહિ?
(૩) ‘અભાવ’ કોને કહે છે તે પુદ્ગલ અને જીવનો દાખલો આપી સમજાવો. જીવ એક છે કે અનંત છે?
સિદ્ધ જીવો કેટલા હશે?
(૪) અરૂપી કોને કહેવાય? જીવ અરૂપી છે કે રૂપી? રંગ વગરના પદાર્થને આકાર હોય કે નહિ? જીવ
નિરાકાર છે એટલે શું?
(પ) જીવ અને અજીવ શાથી ઓળખાય? અજીવ અને પુદ્ગલમાં શો તફાવત છે?
પ્ર. ૪. નીચેમાંથી ગમે તે છ વાક્યો ખાલી જગ્યા પૂરી ફરીથી લખો.
(૧) વ્યવહાર નયથી આત્મા.......નો કર્તા છે. અને અશુદ્ધ નિશ્ચયથી.......નો કર્તા છે.
(૨) શુભ અને અશુભ પરિણામને....મોક્ષ થાય છે. (૩).......... આત્માની શ્રધ્ધા તે સમ્યકત્વ છે.
(૪) પરમાર્થે............જીવ અસંગ છે.
(પ) જે જીવ........ને જીનનું વર્ણન સમજે અને........ના જ્ઞાનને શ્રુતજ્ઞાન સમજે તે જીવ.......કહેવાય.
(૬) સુખગુણ...............દ્રવ્યનો છે.
(૭) ............પરિણામ તે મોક્ષનું કારણ છે.
(૮) ............પ્રેરે તે વ્યવહાર સમંત કરવો યોગ્ય છે.
ઉત્તર–૧ (ક)
मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।।
મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી; મંગલં કુન્દકુન્દાર્યો, જૈનધર્મોસ્તુ મંગલં
(ખ) आत्माज्ञानं स्वयंज्ञानं ज्ञानादन्यतकरोतिकिम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
આત્માજ્ઞાનં સ્વયંજ્ઞાનં, જ્ઞાનાત અન્યત કરોતિ કિં. પરભાવસ્ય કર્તાત્મા મોહો અયં વ્યવહારિણાં.