Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 17

background image
ધર્મ
કોઈ વસ્તુ અને તેનો સ્વભાવ જુદા હોય એમ
કદી બને નહીં, એટલે કે વસ્તુનો સ્વભાવ સદાય
વસ્તુમાં જ રહે. આત્માનો સ્વભાવ સદાય આત્મામાં
જ છે. સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ હોવાથી આત્મા
પોતે જ ધર્મસ્વરૂપ છે.
હવે જે વસ્તુ પોતે જ ધર્મસ્વરૂપ છે તેને ધર્મ
માટે બહારની મદદની જરૂર કેમ રહે? આત્માનો ધર્મ
સદાય આત્મામાં જ છે; કોઈ પરથી આત્માનો ધર્મ
નથી. તું ગમે તે ક્ષેત્રે જા કે ગમે તે કાળ હોય તોપણ
તારો ધર્મ તારાથી જુદો નથી. તું પોતે જ ધર્મસ્વરૂપ
હોવા છતાં તને તારી પોતાની જ ખબર અનાદિથી
નથી તે કારણે તારામાં ધર્મ હોવા છતાં તે તને પ્રગટ
અનુભવમાં આવતો નથી. અને તને તારા
ધર્મસ્વરૂપમાં શંકા એ જ અધર્મ છે, અને તે કારણે જ
સંસાર છે. તે અધર્મ ટાળવા તારા ધર્મ–સ્વભાવને
ઓળખ–એ એક જ ઉપાય છે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ