Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
તી.ર્થ. ધા.મ. શ્રી.સુ.વ.ર્ણ.પુ.રી મ. ધ્યે
– પરમ પૂજય સદ્ગુરુ દેવ નિવાસ – શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં ચોડેલા –
ઉજવળતા પ્રગટાવનાર ચાકળાઓ
જેને પુણ્યની રુચિ છે તેને જડની
રુચિ છે તેને આત્માના ધર્મની રુચિ
નથી.
એક એક વસ્તુમાં વસ્તુપણાને
નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ
અસ્તિ, નાસ્તિ આદિ બે શક્તિઓનું
પ્રકાશવું તે અનેકાન્ત છે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે,
સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ
સાધ્ય–સાધક ભાવના ભેદથી બે
પ્રકારે, એક જ નિત્ય સેવવા યોગ્ય
છે, તેનું સેવન કરો.
સદ્ગુરુદેવ શ્રી કા’ન પ્રભુના ચરણ
સમીપે જેનું જીવન છે તે જીવન
ધન્ય છે.
ચૈતન્ય પદાર્થની ક્રિયા ચૈતન્યમાં
હોય, જડમાં ન હોય.
વસ્તુ વિચારત ધ્યાવતૈ,
મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ
અનુભવ યાકો નામ.
વ્યવહારનય એ રીત જાણ
નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો
પ્રાપ્તિ કરે નિર્વાણની.
नमः समयसाराय
સમયસાર
જિનરાજ હૈ,
સ્યાદ્વાદ
જિનવૈન.
અહો! શ્રી સત્પુરુષ!
અહો! તેમનાં વચનામૃત,
મુદ્રા અને સત્સમાગમ!
વારંવાર અહો! અહો!!
૧૦
હું એક, શુદ્ધ, સદા અરૂપી,
જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી
પરમાણુમાત્ર નથી અરે!
૧૧
છૂટે દેહાધ્યાસ તો,
નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો,
એજ ધર્મનો મર્મ.
૧૨
કરૈ કરમ સોઈ કરતારા,
જો જાનૈ સો જાનનહારા.
૧૩
આત્મા પોતાપણે છે અને
પરપણે નથી એવી જે દ્રષ્ટિ
તેજ ખરી અનેકાંત દ્રષ્ટિ છે.
૧૪
દ્રવ્યદ્રષ્ટિ તે જ સમ્યક્દ્રષ્ટિ છે.
એક હોય ત્રણકાળમાં,
પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને
તે વ્યવહાર સમંત.
૧પ
એક પરિનામકે ન કરતા દરવ દોઈ,
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;
એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરૈ,
દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ.
૧૬
જૈન ધર્મને કાળની મર્યાદામાં
કેદ કરી શકાય નહિ.
૧૭
तत्प्रति प्रीतिचित्तेन
येन वार्तापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो
भाविनिर्वाण भाजनम्।।
૧૮
ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હકે ઘટ,
સીતલ ચિત્ત ભયૌ જિમચંદન;
કેલિ કરે સિવ મારગમૈં,
જગમાંહિ જિનેશ્વર કે લઘુનંદન.
૧૯
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ
છતાં ઉજ્જવલ આત્માનો સ્વત:
વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.
૨૦
તું સ્થાપ નિજને મોક્ષપંથે,
ધ્યા અનુભવ તેહને;
તેમાંજ નિત્ય વિહાર કર,
નહિ વિહર પરદ્રવ્યો વિષે.
૨૧
શુભાશુભ પરિણામનું
સ્વામિત્વ તે મિથ્યાદર્શન છે.
૨૨
ગમ પડ્યા વિના આગમ
અનર્થકારક થઈ પડે છે.
સંત વિના અંતની વાતમાં
અંત પમાતો નથી.
૨૩
જ્ઞાન તેનું નામ કે જે
આસ્રવોથી નિવર્તે.
જ્ઞાનનું ફળ વિરતિ.
૨૪
જ્ઞાનથી જ રાગદ્વેષ નિર્મૂળ થાય.
જ્ઞાનનું મુખ્ય સાધન વિચાર છે.
વિચારદશાનું મુખ્ય સાધન
સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ
છે.
(વધુ માટે જુઓ પાનુ છેલ્લું)