Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 17

background image
वत्थु सहावो धम्मो–વસ્તુનો વર્ષ ૧: અંક ૯
સ્વભાવ એ જ ધર્મ શ્રાવણ: ૨૦૦૦
સમ્યકત્વનું માહાત્મ્ય
(૧) સમ્યકત્વ વગરના જીવો પુણ્ય સહિત હોય તોપણ
જ્ઞાનીઓ તેને પાપી કહે છે; કારણ કે પુણ્ય–પાપ રહિત
સ્વરૂપનું ભાન ન હોવાથી પુણ્યના ફળની મીઠાશમાં
પુણ્યનો વ્યય કરીને–સ્વરૂપના ભાન રહિત હોવાથી
પાપમાં જવાના છે.
(૨) સમ્યકત્વ સહિત નરકવાસ પણ ભલો છે અને સમ્યકત્વ
રહિતનો દેવલોકમાં નિવાસ પણ શોભા પામતો નથી.
(પરમાત્મ પ્રકાશ–પાનું ૨૦૦)
(૩) અપાર એવા સંસાર સમુદ્રથી રત્નત્રયીરૂપ જહાજને પાર
કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટીઓ (નાવિક) છે.
(૪) જે જીવને સમ્યગ્દર્શન છે તે અનંત સુખ પામે છે અને જે
જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તોપણ અનંત દુઃખ
ભોગવે છે.
આવા અનેક મહિમાઓ શ્રી સમ્યગ્દર્શનના છે. માટે દરેક
જીવો કે જેઓ સદા અનંતસુખ જ ઈચ્છે છે તેઓને તે પામવાનો
પ્રથમ ઉપાય સમ્યગ્દર્શન જ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ આત્મસિદ્ધિના પ્રથમ જ પદમાં કહે
છે કે:–
જે સ્વરૂપ સમજ્યા વિના
પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું
શ્રી સદ્ગુરુ ભગવંત. ।। ।।
જે સ્વરૂપ સમજ્યા વિના – એટલે – આત્માના ભાન
વગર અર્થાત્ સમ્યગ્દર્શન પામ્યા વગર અનાદિ કાળથી
અનંતદુઃખ એકલું દુઃખ જ ભોગવ્યું છે, તે અનંત દુઃખથી મુક્ત
થવાનો ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન જ છે બીજો નથી.
તે સમ્યગ્દર્શન આત્માનો જ સ્વસ્વભાવી ગુણ છે.
સુખી થવા માટે...........
સમ્યગ્દર્શન પ્રગટાવો.