Atmadharma magazine - Ank 016
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945).

< Previous Page  


PDF/HTML Page 17 of 17

background image
ATMADHARMA With the permisson of Baroda Govt. Regd. No. B. 4787
Order No. 30/84 date 31-10-44
દેવી તેને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ડાહ્યા માણસો ન્યાય અથવા સાચું જ્ઞાન કહી શકતા નથી. તેથી કરીને જે
શાસ્ત્રોમાં અને જે મતોના પ્રવર્તકોમાં ઉપર કહેલ અજ્ઞાન વિદ્યમાન છે તેઓને, આચાર્યદેવે અજ્ઞાનીક મિથ્યાત્વી
કહ્યા છે અને એમ કહ્યું છે કે તેઓમાંના કોઈને પણ હિતાહિતનું જ્ઞાન નથી. જો તેઓને હિત–અહિતનું જ્ઞાન હોય
તો શું તેઓ આટલું નથી સમજી શકતા કે–જે ક્રિયાથી બીજા જીવોને દુઃખ પહોંચે છે અને એ દુઃખ પણ જેવું–તેવું
નહિ પરંતુ સૌથી મોટું જે મૃત્યુનું દુઃખ પામે છે, તે ક્રિયાથી ઉલટા સ્વભાવવાળા સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?
(પ) –વૈનયિક મિથ્યાત્વનું લક્ષણ–
सर्वेषामपि देवानां समयानां तथैव च।
यत्र स्यात् समदर्शित्वं ज्ञेयं वैनयिकं हि तत्।।
८।।
અર્થ:– “સંસારમાં જેટલા દેવ પૂજાય છે અને જેટલા શાસ્ત્રો કે દર્શનો પ્રચલિત છે તે બધાય સુખદાયી છે,
તેનામાં કોઈ ભેદ નથી, તે બધાથી મુક્તિ અથવા આત્માના કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે” એમ જે માને છે તે
વિનયમિથ્યાત્વ છે અને તે સિદ્ધાંતને માનનારા લોકો વૈનયિક મિથ્યાત્વી છે.
મિથ્યાત્વના પાંચ ભેદોની જરૂરિયાત
૧–જેઓ સ્યાદ્વાદ દર્શનથી વિરુદ્ધ કોઈ ને કોઈ એકાંત–એકાંતપક્ષો–ને માને છે તેઓને માટે એકાન્ત
મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. જૈનદર્શન સિવાયના દર્શનોનો એકાંત દ્રષ્ટિના કારણે જ નિષેધ કરવામાં આવ્યો છે,
જો તેમ નિષેધ ન કરવામાં આવે તો ઘણા એકાન્તવાદીઓના સિદ્ધાંત પણ જૈનદર્શનને અનુકૂળ થઈ જાય.
જૈનદર્શન સિવાય જેટલા દર્શન છે તે બધાય એકાંતવાદી છે, તેથી કરીને તે બધાને એકાંત મિથ્યાદ્રષ્ટિ જ
માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બૌદ્ધદર્શન એકાંત મિથ્યાત્વી છે; કેમકે તે દરેક વસ્તુને પૂર્વાપર સંબંધ
વગરની ક્ષણિક રહેનાર માને છે; પણ ક્ષણિકતાની સાથે નિત્યતા સ્વરૂપ માન્યા વગર કામ ચાલી શકતું નથી
[અર્થાત્ વસ્તુ સ્વરૂપ સિદ્ધ થતું નથી]. જો વસ્તુઓ સંબંધ વગરની હોય તો અંકુરા ઉત્પન્ન થવામાં બીજની
જરૂરિયાત કેમ હોવી જોઈએ? આ પ્રમાણે સર્વ એકાંતવાદ દોષિત ઠરે છે.
૨–ધર્મક્રિયાઓને જે વિપરીત કરે છે તે વિપરીત મિથ્યાદ્રષ્ટિ છે, તેનું સૌથી મોટું ઉદાહરણ, યજ્ઞ સંબંધમાં
પશુ હિંસા કરવી તે છે. સંકલ્પ કરીને કોઈ નિરપરાધીને મારવો તે બધા નિષ્પક્ષ મનુષ્યોની દ્રષ્ટિમાં પાપ છે.
એવા સર્વસંમત પાપને જે ધર્મ સમજે છે તે સૌથી મોટો વિપરીત જ્ઞાની છે, તેથી કરીને અનાત્મ જ્ઞાનને અથવા
મિથ્યાત્વને વિપરીત મિથ્યાત્વ કહી શકાય છે. જો કે એકાન્ત મિથ્યાત્વને પણ, તે સ્યાદ્વાદની અપેક્ષાથી વિરુદ્ધ
હોવાથી વિપરીત મિથ્યાત્વ કહી શકાય છે પરંતુ તે વિપરીતતા જ્ઞાની હોય તેને જ સમજમાં આવે છે, બધાની
સામાન્ય દ્રષ્ટિમાં સુગમતાથી આવી શકતી નથી; પણ હિંસા અથવા વધને ધર્મ મનાવવાવાળા, બધાની દ્રષ્ટિમાં
વિપરીત જણાવા લાગે છે, તેથી કરીને વધ વગેરે પ્રસિદ્ધ વિપરીત ધર્માચરણોનો વિપરીત મિથ્યાત્વમાં સમાવેશ
કરવો યોગ્ય છે. એવું મિથ્યાત્વ પણ જગતમાં એક પ્રખ્યાત જુદી રીતનું વર્તમાન છે.
૩–સત્યધર્મની સમીપ પહોંચીને પણ તેમાં શંકા રહ્યા કરવી, જેથી કરીને નિર્ણય સહિત ધર્મમાં પ્રવૃત્તિ ન હોઈ
શકે–એ સંશય મિથ્યાત્વ છે. જ્યાં સુધી વાસ્તવિક આત્મજ્ઞાન પ્રગટ ન થયું હોય ત્યાં સુધી આ વાત હોય જ. જે
આત્મજ્ઞાની થઈ ગયા છે એવા આત્માને બંધન–મુક્તિ વગેરેના સ્વરૂપમાં શંકા કેમ થાય? તેથી આશંકાપણું જ મિથ્યાત્વ
છે. સર્વથા સત્ય જૈનધર્મ સુધી આવી પહોંચ્યો છતાં પણ શંકા રહ્યા કરે છે, આ વાત બતાવવા માટે આ મિથ્યાત્વના
ભેદનો સંગ્રહ કર્યો છે, તેનું ઉદાહરણ જૈનાભાસનું આપ્યું છે. સંશય મિથ્યાત્વના બીજા પણ ઉદાહરણ હોઈ શકે છે.
૪–જે વસ્તુનું સામાન્ય વિશેષરૂપ સ્વરૂપ યથાર્થ ન જાણવું પણ પોતાના મનની પ્રેરણાથી જેમ ઠીક લાગે
તેમ માનવું તે અજ્ઞાનીક મિથ્યાત્વ છે; તેનું ઉદાહરણ મસ્કરી વગેરે ભેદ છે. આત્માના અમૂર્તિત્વ વગેરે સામાન્ય
ધર્મોથી, તથા ઉપયોગ વગેરે વિશેષ ધર્મોથી જ્યારે અજ્ઞાન રહે છે ત્યારે જ મનોનીત કલ્પનાઓ ઉત્પન્ન થાય છે
તેથી વાસ્તવિક જ્ઞાનના અભાવથી તેને મિથ્યાત્વમાં બતાવ્યું છે.
[વધુ માટે જુઓ પા. પ૦]
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ તા. ૧૩–૧–૪૫
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા (કાઠિયાવાડ)