સન્મુખ વલણ છે પરંતુ જો તે વલણને તોડીને જ્ઞાન સામર્થ્ય આગળ વધતું જાય તો જ તે જ્ઞાને સિદ્ધ પર્યાયને
જોઈ છે અને પ્રતીતમાં લીધી છે. સિદ્ધદશાને નક્કી કરનાર જીવ ખરી રીતે પોતાની પર્યાયના સામર્થ્યને જ જુએ
છે. સિદ્ધનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ શક્તિપણે ઉત્પાદ અને–વ્યયથી નિત્ય ટકી રહ્યો છે તેનો નિર્ણય કરનાર કોણ
છે? જો સૂક્ષ્મતાથી જોઈએ તો જેણે સિદ્ધનો નિર્ણય કર્યો છે તેણે પોતાની સિધ્ધદશાનો જ નિર્ણય કર્યો છે અને તે
સિધ્ધ થવાનો જ...
વર્તમાન કરું છું એમાં પણ ખરેખર પરના સામર્થ્યને જાણતા નથી પણ પોતાની પર્યાયના પૂર્ણ સામર્થ્યને
વર્તમાનરૂપ કરીને પ્રતીતિમાં લ્યે છે. મહાવીર ભગવંતને પારિણામિક સ્વભાવભાવ–તદ્ન શુધ્ધદશા
ઊર્ધ્વશ્રેણી કરી મોક્ષમાં ગયા” એ તો બહારનું વ્યવહારકથન છે, ઊંચા ક્ષેત્રે ગયા પછી આત્માની મુક્તિ થઈ–
એમ નથી, પરંતુ આત્મા પોતે જ મુક્તદશા–સ્વરૂપ થઈ ગયો છે.
કાળ સુધી ઉત્પાદ થયા કરે એવી જે સિધ્ધદશા તેની જે આત્માએ પ્રતીતિ અને મહિમા કર્યો તે આત્મા પોતાના
નિર્મળ સ્વભાવ જ્ઞાન સિવાય કોનો આદર કરશે? કોને માનશે? જો પોતાના સિધ્ધ સમાન સ્વભાવ સામર્થ્યનો
વિશ્વાસ કરે તો જ તેને સિદ્ધ ભગવાનને જોતાં આવડયું છે. સિદ્ધ ભગવાનને જોનાર અને તેનો મહિમા કરનાર
ખરેખર પોતાની–સિદ્ધ ભગવાનના સામર્થ્યને જાણવારૂપ–પર્યાયના સામર્થ્યને જ જુએ છે અને તેનો જ મહિમા
કરે છે. પરમાર્થે કોઈ જીવ પરને જાણતો નથી કે પરનો મહિમા કરતો નથી.
છે.”
તરફ વાળીને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટ્યું તે જ મહા મહોત્સવ છે. ભગવાનશ્રી મોક્ષ પધાર્યા તેમાં આ
આત્માને શું? તેમ જ દેવોએ રત્ન દીપકો વગેરેથી મોટા મહોત્સવ કર્યા તેમાં આ આત્માને શું? પરના કારણે આ
આત્માને લાભ નથી; પરંતુ સિદ્ધ ભગવાનના સામર્થ્યને પ્રતીતમાં લઈને જેણે તેનો જ અંતરથી મહિમા કર્યો તે
‘સિદ્ધનો લઘુનંદન’ થઈ ગયો તે અલ્પકાળમાં સિદ્ધ થાય જ.
જ્ઞાન કબુલ પણ કરે છે–પરંતુ પોતે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય–‘કબુલાત’ અને ‘સ્થિરતા’ એવા બે અવસ્થા
ભેદને ભૂલીને–વર્તમાન પૂર્ણ દ્રવ્યને જ પ્રતીતમાં લે છે. દ્રવ્ય સ્વભાવની કબુલાતનો નિર્ણય તે બે–દશા
વચ્ચેના અંતરને કે ઊણપને સ્વીકારતો નથી,– ‘ભવિષ્યમાં સિદ્ધ પર્યાય પ્રગટ થશે’ એમ ભૂત–ભવિષ્યને