Atmadharma magazine - Ank 026
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૫૪ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
જ તેઓશ્રી સિદ્ધ થતા હોય–એવી શૈલીથી કથન કર્યું છે. પ્રભુશ્રી આજ મોક્ષ પધાર્યા–એવા વિકલ્પમાં જો કે પર
સન્મુખ વલણ છે પરંતુ જો તે વલણને તોડીને જ્ઞાન સામર્થ્ય આગળ વધતું જાય તો જ તે જ્ઞાને સિદ્ધ પર્યાયને
જોઈ છે અને પ્રતીતમાં લીધી છે. સિદ્ધદશાને નક્કી કરનાર જીવ ખરી રીતે પોતાની પર્યાયના સામર્થ્યને જ જુએ
છે. સિદ્ધનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ શક્તિપણે ઉત્પાદ અને–વ્યયથી નિત્ય ટકી રહ્યો છે તેનો નિર્ણય કરનાર કોણ
છે? જો સૂક્ષ્મતાથી જોઈએ તો જેણે સિદ્ધનો નિર્ણય કર્યો છે તેણે પોતાની સિધ્ધદશાનો જ નિર્ણય કર્યો છે અને તે
સિધ્ધ થવાનો જ...
૯. આ પ્રવચનસાર શાસ્ત્રની શરૂઆતમાં શ્રી કુંદકુંદ ભગવાન મંગળિકરૂપે નમસ્કાર કરતાં કહે છે કે–
“તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદુ વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
જેઓને પોતે નમસ્કાર કરે છે તેઓને વર્તમાનપણે હાજર કરીને નમસ્કાર કરે છે. આચાર્ય પ્રભુ કહે છે કે
૧૦. પૂર્વે થઈ ગયા તે સર્વેને વર્તમાન હાજર કરું છું એમાં ખરેખર તો પર્યાય અને દ્રવ્ય વચ્ચેનો
આંતરો કાઢી નાખીને સામાન્ય–વિશેષને એક કર્યા છે–એમાં સ્વભાવદ્રષ્ટિનું જોર છે; ભૂતમાં થયા તે સિધ્ધોને
વર્તમાન કરું છું એમાં પણ ખરેખર પરના સામર્થ્યને જાણતા નથી પણ પોતાની પર્યાયના પૂર્ણ સામર્થ્યને
વર્તમાનરૂપ કરીને પ્રતીતિમાં લ્યે છે. મહાવીર ભગવંતને પારિણામિક સ્વભાવભાવ–તદ્ન શુધ્ધદશા
[મુક્તિ]
ક્યાંય બહારમાં થઈ ન હતી પરંતુ આત્મામાં જ થઈ હતી. “પાવાપુરીમાં ભગવાન નિર્વાણ પામ્યા અને
ઊર્ધ્વશ્રેણી કરી મોક્ષમાં ગયા” એ તો બહારનું વ્યવહારકથન છે, ઊંચા ક્ષેત્રે ગયા પછી આત્માની મુક્તિ થઈ–
એમ નથી, પરંતુ આત્મા પોતે જ મુક્તદશા–સ્વરૂપ થઈ ગયો છે.
૧૧. આ, આત્માની સિધ્ધદશાના સામર્થ્યનો મહિમા થાય છે, પરંતુ તે દશાના સામર્થ્યને કોણ કબુલે છે?
કોણ તેની પ્રતીત કરે છે? પુણ્ય–પાપ રહિત, ક્રમરહિત, એકેક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવરૂપે અનંતાનંત
કાળ સુધી ઉત્પાદ થયા કરે એવી જે સિધ્ધદશા તેની જે આત્માએ પ્રતીતિ અને મહિમા કર્યો તે આત્મા પોતાના
નિર્મળ સ્વભાવ જ્ઞાન સિવાય કોનો આદર કરશે? કોને માનશે? જો પોતાના સિધ્ધ સમાન સ્વભાવ સામર્થ્યનો
વિશ્વાસ કરે તો જ તેને સિદ્ધ ભગવાનને જોતાં આવડયું છે. સિદ્ધ ભગવાનને જોનાર અને તેનો મહિમા કરનાર
ખરેખર પોતાની–સિદ્ધ ભગવાનના સામર્થ્યને જાણવારૂપ–પર્યાયના સામર્થ્યને જ જુએ છે અને તેનો જ મહિમા
કરે છે. પરમાર્થે કોઈ જીવ પરને જાણતો નથી કે પરનો મહિમા કરતો નથી.
૧૨. “ધ્યાન રાખજો! આજનું ઘૂંટણ જુદી જ જાતનું આવે છે. આ ભાવોને વિચારીને તેનું ખૂબ ઘોલન
કરવા જેવું છે, આજે વિષય સારો આવી ગયો છે, અંદરનું ઘૂંટણ બહાર આવે છે. આ દિવાળીનાં મંગળિક ગવાય
છે.”
૧૩. સ્વકાળને [પોતાની અવસ્થાને] સ્વભાવ તરફ વાળવો તે જ સાચી ‘દિ–વાળી’ છે. ‘દિ’ =દિવસ–
કાળ; તેને પોતાના સ્વભાવ સન્મુખ વાળે ત્યારે સાચી દિવાળી કહેવાય, એટલે કે પોતાની અવસ્થાને સ્વભાવ
તરફ વાળીને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટ્યું તે જ મહા મહોત્સવ છે. ભગવાનશ્રી મોક્ષ પધાર્યા તેમાં આ
આત્માને શું? તેમ જ દેવોએ રત્ન દીપકો વગેરેથી મોટા મહોત્સવ કર્યા તેમાં આ આત્માને શું? પરના કારણે આ
આત્માને લાભ નથી; પરંતુ સિદ્ધ ભગવાનના સામર્થ્યને પ્રતીતમાં લઈને જેણે તેનો જ અંતરથી મહિમા કર્યો તે
‘સિદ્ધનો લઘુનંદન’ થઈ ગયો તે અલ્પકાળમાં સિદ્ધ થાય જ.
૧૪. જેણે પોતાના જ્ઞાનમાં સિદ્ધ ભગવાનનો નિર્ણય કર્યો તેને સિદ્ધદશાના નિર્ણય અને તે રૂપ સ્થિરતા
વચ્ચે (શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચે) ભલે આંતરો તો પડે છે; અને તે આંતરાને, એકદમ સ્વભાવ સન્મુખ થતું
જ્ઞાન કબુલ પણ કરે છે–પરંતુ પોતે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય–‘કબુલાત’ અને ‘સ્થિરતા’ એવા બે અવસ્થા
ભેદને ભૂલીને–વર્તમાન પૂર્ણ દ્રવ્યને જ પ્રતીતમાં લે છે. દ્રવ્ય સ્વભાવની કબુલાતનો નિર્ણય તે બે–દશા
વચ્ચેના અંતરને કે ઊણપને સ્વીકારતો નથી,–
‘ભવિષ્યમાં સિદ્ધ પર્યાય પ્રગટ થશે’ એમ ભૂત–ભવિષ્યને